________________
કર્તવ્યત્વ જણાવાય છે –
इति जिनपूजां धन्यः शृण्वन् कुर्वंस्तदोचितां नियमात् । भवविरहकारणं खलु सदनुष्ठानं द्रुतं लभते ॥९-१६॥
ગાથાનો અર્થ ખૂબ જ સરળ છે. આશય એ છે કે ધર્મસ્વરૂપ ધન છે જેની પાસે એવો પુણ્યશાળી આ પ્રમાણે શ્રી જિનપૂજાનું વર્ણન સાંભળે છે અને એ મુજબ તેના અર્થને સમજીને શ્રી જિનપૂજા તે તે કાળે ઉચિતપણે કરે છે, તે ધન્યાત્મા ભવવિરહના કારણભૂત સદનુષ્ઠાનને ચોક્કસપણે જલદીથી પ્રાપ્ત કરે છે. ભવના વિરહમાં કારણભૂત સદનુષ્ઠાનનું વર્ણન હવે પછીના ષોડશકમાં કરાશે. ૯-૧દા
| | તિ નવ રોડશવમ્ |
अथ दशमं षोडशकम् । નવમા ષોડશકના અન્તમાં શીધ્ર સદનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે - તે પ્રમાણે જણાવ્યું હતું. તે સદનુષ્ઠાનનું સ્વરૂપ હવે વર્ણવાય છે -
सदनुष्ठानमतः खलु बीजन्यासात् प्रशान्तवाहितया । सायते नियोगात् पुंसां पुण्योदयसहायम् ॥१०-१॥
પ્રશાન્તવાહિતાના કારણે આ બીજન્યાસથી પુરુષોને અભ્યાસે કરી પુણ્યોદયની સહાયવાળું સદનુષ્ઠાન પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂજાને કરનારા ધન્યાત્માને જે પ્રશાન્તવાહિતા પ્રાપ્ત થાય