________________
અધિકારી નથી, તેથી કોઈ દોષ નથી.
કૂવાના દૃષ્ટાંતથી શ્રી જિનપૂજા કરનારા ગૃહસ્થને જેમ દોષ નથી તેમ પૂ. સાધુભગવંતને શ્રી જિનપૂજા કરવાથી દોષ નહિ લાગે, તેથી તેઓશ્રીને પણ શ્રી જિનપૂજાનો અધિકાર આપવો જોઈએ-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સર્વથા સાવદ્યયોગથી નિવૃત્ત બનેલા પૂ. સાધુભગવંતો કૂવાના ઉદાહરણથી પણ શ્રી જિનપૂજાદિમાં પ્રવૃત્તિ કરે તો તેઓશ્રીને ચિત્તમાં અવદ્ય [પાપ જ લાગે. કારણ કે તેઓશ્રી સર્વવિરતિ પ્રમુખ ઉત્કૃષ્ટ ગુણોના ધારક છે. પરંતુ ગૃહસ્થો તેવા પ્રકારના ઉત્કૃષ્ટગુણોના ઘારક ન હોવાથી તેમને અવદ્ય નહિ લાગે. ક[ગૃહસ્થતિના પરિણામને આશ્રયીને અહીં શ્રી જિનપૂજાદિના અધિકાર અને અનધિકારનો વિચાર કર્યો છે. આથી જ સામાયિકમાં રહેલા ગૃહસ્થને પણ શ્રી જિનપૂજાદિનો અધિકાર નથી. બીજા પણ ગૃહસ્થોને કે જેઓ પૃથ્વીકાયાદિ જીવોની હિંસાથી ભય પામેલા છે, યતનાપરાયણ છે, સાવઘક્રિયાનો સંક્ષેપ કરવાની રુચિવાળા છે અને પૂ. સાધુ મહાત્માઓની ક્રિયાની પ્રત્યે અનુરાગ ઘરે છે એવા ગૃહસ્થો માટે ધર્મના અર્થે સાવઘક્રિયાપૂજાદિની પ્રવૃત્તિ ઉચિત નથીએવું પણ કેટલાક કહે છે. આ વિષયમાં વધારે કહેવાથી સર્યું. જિજ્ઞાસુએ તે તે વિષયના જાણકારો પાસેથી સમજી લેવું. જોઈએ. / ૯ -૧૪,૧૫.
આ રીતે પૂર્વે જણાવ્યા મુજબ પ્રશ્ન અને તેના જવાબ સાથે પૂજાનું નિરૂપણ કરીને હવે ફળના નિરૂપણ સાથે પૂજાનું