________________
ગુણાંતરને પ્રાપ્ત કરાવનારી હોય તો તેવી પૂજા કરવાનો અધિકાર પૂ. સાધુભગવંતોને આપવાનો પ્રસંગ આવશે. આ પ્રસંગના નિવારણ માટે એમ કહેવામાં આવે કે પૂજા સાવધ હોવાથી સર્વસાવધયોગથી વિરામ પામેલા પૂ. સાધુભગવંતોને એનો અધિકાર નથી, તો ગૃહસ્થોને પણ [તેઓ શીરાદિ માટે આરંભ કરતા હોવા છતાં] સાવઘ પૂજાનો અધિકાર નહિ આપવો જોઈએ. કારણ કે તેઓ કુટુંબાદિ માટે આરંભ કરે છે એનો અર્થ એ નથી કે તેથી ધર્મ માટે પણ તેઓ આરંભ કરે. એક પાપ કર્યું, એટલે બીજું પાપ પણ કરવું જોઈએ-એવો નિયમ નથી. તેથી સ્વકુટુંબાદિ માટે આરંભ કરનારા ગૃહસ્થોને પૂજાનો અધિકાર આપવાનું યોગ્ય નથી.”. આ પ્રમાણે શંકા નહિ કરવી જોઈએ.
કારણ કે પોતાના કુંટુંબાદિ માટે આરંભ કરનારા ગૃહસ્થોને એ અસદ્ આરંભના નાશ માટે સદારંભ સ્વરૂપ શ્રી જિનપૂજાદિનો અધિકાર છે. અનુબંધ-અહિંસા [અનુબંધ (પરિણામ)થી હિંસાનો અભાવ]સ્વરૂપ શ્રી જિનપૂજાદિથી ગૃહસ્થના અસરંભનો નાશ થાય છે. પૂ. સાધુભગવંતો તો સદાને માટે અસદ્ આરંભથી વિરામ પામેલા હોવાથી તેઓશ્રીને શ્રી જિનપૂજાદિનો અધિકાર નથી. કારણ કે કાદવમાં પગ નાંખવા અને પછી તે સાફ કરવા એની અપેક્ષાએ કાદવમાં પગ નાંખવા જ નહિ-એ સારું છે. આથી સમજી શકાશે કે અસદ્ આરંભથી નિવૃત્ત થવાની ઈચ્છાવાળા ગૃહસ્થો શ્રી જિનપૂજાદિના અધિકારી છે. સર્વથા અસદારંભથી નિવૃત્ત બનેલા પૂ. સાધુભગવંતો શ્રી જિનપૂજાદિના
૨૭૦