________________
તે આગમતત્વ ગ્રન્થકારશ્રી અગિયારમી ગાથાથી જણાવે છે
आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । * મુશ્ચ વિયોગાસાહિલાદિ તઘેતુઃ ૧-૧૧
ગાથાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે “આત્મા છે, તે પરિણામી છે; વિદ્યમાન [વાસ્તવિક એવાં વિચિત્ર કર્મ વડે બંધાયેલો છે; કર્મના સર્વથા વિયોગથી આત્મા મુક્ત બને છે; હિંસા અસત્ય વગેરે કર્મના બંધમાં કારણ છે; અને અહિંસા સત્ય વગેરે કર્મના વિયોગમાં કારણ છે.” આ પ્રમાણે તે તે દર્શનની માન્યતાનું નિરાકરણ કરી જ્યાં પ્રતિપાદન કરાય છેતે આગમતત્ત્વ છે. આશય એ છે કે લોકાયત-ચાર્વાક [નાસ્તિકો]લોકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેમના મતનું ખંડન કરી જ્યાં શરીરથી અતિરિક્ત આત્માનું અસ્તિત્વ પ્રતિપાદિત છે-તે આગમતત્ત્વ છે. - શરીરથી અતિરિક્ત આત્માને માન્યા પછી પણ જો તેને પરિણામ ન માનીએ અને કૂટસ્થ નિત્ય માનીએ તો આત્માની બદ્ધ અને મોક્ષ અવસ્થા વાસ્તવિક નહિ બને. કારણ કે કોઈ પણ જાતનું અંશતઃ પણ પરિવર્તન ન માનીએ તો કોઈ પણ વસ્તુમાં અવસ્થાન્તર સદ્ગત નહિ થાય. આથી કૂટસ્થ નિત્ય આત્માને માનવાનું ઉચિત નથી. સાંખ્યદર્શનપ્રસિદ્ધ એ વાતનું નિરાકરણ કરી આત્માને પરિણામી માનવાનું જેમાં જણાવ્યું છે-તે આગમતત્ત્વ છે. જે પરિણામસહિત છે તેને પરિણામી કહેવાય છે. દેવ મનુષ્ય તિર્યંચ અને નરક-આ ચાર ગતિમાં અને પાંચમી મોક્ષગતિમાં ચૈતન્યસ્વરૂપી આત્માનો સંબંધ છે. એ આત્માનો તે તે કાલે તે તે ગતિમાં જે સંબંધ