SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાપરવાક્યોનો વિરોધ પણ દેખાય છે અને તેથી અનેક જાતની દ્વિધાપૂર્ણ દશાના કારણે કોઈ ચોક્કસ વાસ્તવિક અર્થ પ્રતીત થતો નથી. જ્યારે, શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક આગમો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી સુપ્રસિદ્ધ અર્થનો અપલાપ કરતા નથી. તેમાં પરસ્પર વિરુદ્ધ વાક્યો નથી. કોઈ પણ જાતનો કદાગ્રહ ન હોય તો સામાન્યબુદ્ધિવાળા જીવો પણ પૂ. ગુરુભગવંત પાસેથી ચોક્કસ વિશિષ્ટ બોધ પામી શકે છે. આ પરમતારક આગમનાં ઉત્સર્ગવાક્યો સહિષ્ણુઓને જેમ આરાધક બનાવે છે; તેમ તેનાં અપવાદભૂત વાક્યો પણ અસહિષ્ણુઓને પૂ. ગુરુદેવશ્રીની પુણ્યનિશ્રાથી આરાધક બનાવે છે. અન્ય આગમો એકાન્તવાદથી દુષ્ટ હોવાથી તેના આચરણાદિથી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક આગમોનાં ઉત્સર્ગ અને અપવાદભૂત વાક્યોના ઐદંપર્યતાત્પર્ય સુધી પહોંચ્યા વિના પરમતારક શ્રી જિનાગમોનું જ્ઞાન વિવક્ષિત સિદ્ધિનું કારણ થતું નથી. આ આશયથી જ ગાથામાં સંપર્ય-શુદં ર આવો નિર્દેશ છે. શ્રુતજ્ઞાન ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન..વગેરેનું સ્વરૂપ આગળ જઈને વર્ણવાશે; તે વખતે ઉપર જણાવેલી વાત વિસ્તારથી જણાવીશ. આ રીતે પ્રતિબિંબિત “આગમતત્ત્વ'નો વિચાર કરી પંડિતજનો સદ્ધર્મની પરીક્ષા કરે છે.. ૧-૧૦ પંડિતજનો દ્વારા જે આગમતત્ત્વની વિચારણા કરાય છે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy