SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ પ્રાણીને મારવા નહિ જોઈએ'-આવાં ઉત્સર્ગસામાન્ય દ્રિવ્ય ક્ષેત્ર કાલ કે ભાવાદિની અપેક્ષા રાખ્યા વિના વાક્યો અને ગ્લાનાદિના પ્રયોજને આધાકર્માદિ ગ્રહણ કરવાનું જણાવનારાં અપવાદ-વિશેષ વાક્યો હોવાં જોઈએ. સામાન્યથી એકાને કોઈ વિધાન નહિ હોવું જોઈએ. અન્યથા એકાન્તવાદથી દુષ્ટ એ વાક્યોવાળું એ આગમ આગમતત્ત્વ સ્વરૂપ નહિ બને. આવાં ઉત્સર્ગ અપવાદભૂત વાક્યોથી ભરેલા આગમતત્ત્વને સાંભળ્યા પછી “અહીં આ પ્રમાણે કહેવાનો મુખ્ય આશય છે”-આવા પ્રકારના વાક્યસામર્થ્યનું જ્ઞાન થવાના કારણે જે આગમ શુદ્ધ બને છે તે આગમતત્ત્વ જ પંડિત પુરુષો સધર્મની પરીક્ષા વખતે વિચારે છે. માત્ર આગમતત્ત્વના શ્રવણથી જેમાં “આ કેમ ઘટે, આ બેસતું નથી, આ સમજાતું નથી.” આવી જાતની દ્વિધાઓ [આકાંક્ષાઓ] વિદ્યમાન રહે એવા આગમની વિચારણાથી સધર્મનો નિર્ણય થાય નહિ. આ ગ્રન્થકારશ્રીનો કહેવાનો આશય એ છે કે સદ્ધર્મનો નિર્ણય કરતી વખતે બાલ જીવો અને મધ્યમબુદ્ધિવાળા જીવો અનુક્રમે બાહ્યલિગ અને આચારનો જ મુખ્યપણે વિચાર કરે છે. પરંતુ એમાં બનાવટ થતી હોવાથી ખરી રીતે એનાથી કોઈ પણ રીતે સદ્ધર્મનો વાસ્તવિક નિર્ણય થતો નથી. આથી જ પંડિતજનો સદ્ધર્મનો નિર્ણય કરવા માટે આગમતત્ત્વની પરીક્ષા-વિચારણા કરે છે. જેનાગમોને છોડીને અન્ય જે આગમો છે તે આગમો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી સિદ્ધ થયેલા આત્મસ્વરૂપાદિનો અપલાપ કરે છે, તે આગમોમાં
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy