________________
કોઈ પણ પ્રાણીને મારવા નહિ જોઈએ'-આવાં ઉત્સર્ગસામાન્ય દ્રિવ્ય ક્ષેત્ર કાલ કે ભાવાદિની અપેક્ષા રાખ્યા વિના વાક્યો અને ગ્લાનાદિના પ્રયોજને આધાકર્માદિ ગ્રહણ કરવાનું જણાવનારાં અપવાદ-વિશેષ વાક્યો હોવાં જોઈએ. સામાન્યથી એકાને કોઈ વિધાન નહિ હોવું જોઈએ. અન્યથા એકાન્તવાદથી દુષ્ટ એ વાક્યોવાળું એ આગમ આગમતત્ત્વ સ્વરૂપ નહિ બને. આવાં ઉત્સર્ગ અપવાદભૂત વાક્યોથી ભરેલા આગમતત્ત્વને સાંભળ્યા પછી “અહીં આ પ્રમાણે કહેવાનો મુખ્ય આશય છે”-આવા પ્રકારના વાક્યસામર્થ્યનું જ્ઞાન થવાના કારણે જે આગમ શુદ્ધ બને છે તે આગમતત્ત્વ જ પંડિત પુરુષો સધર્મની પરીક્ષા વખતે વિચારે છે. માત્ર આગમતત્ત્વના શ્રવણથી જેમાં “આ કેમ ઘટે, આ બેસતું નથી, આ સમજાતું નથી.” આવી જાતની દ્વિધાઓ [આકાંક્ષાઓ] વિદ્યમાન રહે એવા આગમની વિચારણાથી સધર્મનો નિર્ણય થાય નહિ. આ ગ્રન્થકારશ્રીનો કહેવાનો આશય એ છે કે સદ્ધર્મનો નિર્ણય કરતી વખતે બાલ જીવો અને મધ્યમબુદ્ધિવાળા જીવો અનુક્રમે બાહ્યલિગ અને આચારનો જ મુખ્યપણે વિચાર કરે છે. પરંતુ એમાં બનાવટ થતી હોવાથી ખરી રીતે એનાથી કોઈ પણ રીતે સદ્ધર્મનો વાસ્તવિક નિર્ણય થતો નથી. આથી જ પંડિતજનો સદ્ધર્મનો નિર્ણય કરવા માટે આગમતત્ત્વની પરીક્ષા-વિચારણા કરે છે. જેનાગમોને છોડીને અન્ય જે આગમો છે તે આગમો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી સિદ્ધ થયેલા આત્મસ્વરૂપાદિનો અપલાપ કરે છે, તે આગમોમાં