SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ આશય એ છે કે પૂર્વ ગાથામાં પૂજા માટે સ્નાનાદિ કરવાથી જલ, વનસ્પતિ વગેરેના વધનો પ્રસન્ગ આવવાથી દોષ જણાવ્યો હતો. તે દોષના નિવારણ માટે આ ગાથામાં જણાવ્યું છે કે કૂવાના ઉદાહરણથી અહીં દોષ નથી, પરંતુ ગુણ છે. પાણી માટે જ્યારે કૂવો ખોદવાનું કાર્ય કરાય છે; ત્યારે થાક લાગે છે, પરસેવો થાય છે; તરસ લાગે છે અને શરીરાદિ માટી વગેરેથી મલિન થાય છે.ઈત્યાદિ અનિષ્ટની પ્રાપ્તિ થવા છતાં એ બધાં જ અનિષ્ટો પાણી મળવાથી દૂર થાય છે; અને ઉપરથી સ્વ-પરને અનેક રીતે લાભ થાય છે. આવી જ રીતે પૂજા માટે કરાતા સ્નાનાદિથી. જલાદિકાયવધસ્વરૂપ અનિષ્ટ પ્રાપ્ત થવા છતાં પૂજા કરવાથી સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થવાથી સ્વ-પરને અનેક રીતે ગુણોની પ્રાપ્તિ થાય છે. આ રીતે ગૃહસ્થને પૂજા કરવાથી ગુણની પ્રાપ્તિ થતી હોવાથી સ્નાનાદિના કારણે થતા કાયવધનો દોષ રહેતો નથી. ચૌદમી ગાથાના પૂર્વાદ્ધથી એ દોષનો પરિહાર થાય છે. ચૌદમી ગાથાના ઉત્તરાદ્ધથી એ વાત જણાવાય છે કે પૂજા કરવાથી શ્રી જિનેશ્વરદેવોને કોઈ પણ જાતનો ઉપકાર નહિ હોવા છતાં પૂજા કરનારને ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મંત્રનું સ્મરણ કરવાથી, અગ્નિનું સેવન કરવાથી અને વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્ર, અગ્નિ કે વિદ્યાને કોઈ પણ જાતનો ઉપકાર નહિ હોવા છતાં જેમ મંત્રનું સ્મરણ કરનારાને વિષની બાધા દૂર થાય છે, અગ્નિનું સેવન કરનારાને શીતનો અપહાર દૂર થવું. થાય છે અને વિદ્યાનો અભ્યાસ કરનારાને વિદ્યા સિદ્ધ થાય
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy