________________
હોવાથી કૃતકૃત્ય એવા ભગવાનને પૂજાથી કોઈ જ ઉપકાર નથી. બીજાઓ દ્વારા તેઓશ્રીનું કોઈ જ કાર્ય કરણીય નથી. આથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે મોક્ષે પહોંચેલા શ્રી વીતરાગપરમાત્માને પૂજાથી કોઈ જ ઉપકાર ન હોવાથી પૂજા વ્યર્થ છે. આ પ્રમાણે મૂઢબુદ્ધિવાળા શંકા કરે છે. II૯-૧૩
***
ઉપર જણાવેલી પૂજાની નિષ્પ્રયોજનતાને નીચેની બે ગાથાઓથી દૂર કરાય છે
-
कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान् मतो गृहिणः । मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ॥९-१४॥ कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात् । 'तस्मादव्यर्थेषाऽऽरम्भवतोऽन्यत्र विमलधियः ॥९-१५॥
કૂપ[કૂવો]ના દૃષ્ટાંતથી અહીં પૂજાના વિષયમાં થતો કાય[પૃથ્વીકાયાદિ-વધ પણ ગૃહસ્થો માટે ગુણવાન મનાય છે. મંત્ર વગેરેની જેમ તેના સ્મરણ વગેરેથી તેને લાભ ન હોવા છતાં પણ મંત્ર વગેરેથી તેના સ્મરણાદિ કરનારાને લાભ થાય છે; તેમ પૂજા કરનારને પણ પૂજાથી લાભ થાય છે. આ પ્રમાણે ચૌદમી ગાથાનો સામાન્ય અર્થ છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તે સ્વરૂપ ગુણોત્કર્ષના કારણે તેઓશ્રીની પૂજા ફળવાળી છે. આથી સિદ્ધ થાય છે કે પોતાના શરીરાદિ માટે આરંભ[હિંસાદિ]ને કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થો માટે પૂજા વ્યર્થ પ્રયોજન-રહિત] નથી. આ પ્રમાણે પંદરમી ગાથાનો સામાન્ય અર્થ છે.
*
૨૬૭