________________
સદ્ધર્મવ્યાપારોનું સારભૂત સબ્રહ્મ છે. એ સબ્રહ્મની પૂજામાં જે તત્પર છે; એટલે કે એ પૂજામાં જ જેમનું મન લાગેલું છે; તેઓ જ ઉપર જણાવ્યા મુજબ નિર્વાણ સાધની પૂજા કરી શકે છે. સમગ્ર ગુણથી અધિક એવા પરમાત્માના સ્વરૂપની સમગ્રગુણોથી શ્રેષ્ઠ એવાં પૂજાનાં ઉપકરણોને મનમાં ધારણ કરીને સર્વોત્કૃષ્ટ આત્મિક સંતોષ માટે બુદ્ધિમાને પૂજા કરવી જોઈએ. છેલ્લી નિર્વાણસાધની પૂજામાં એ શક્ય છે. ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૯૧૧,૧૨
પ્રતિષ્ઠા પછી પૂજા માટે સ્નાન વગેરે કરવાનું છે. પરંતુ એમાં ષષ્કાય જીવોનો વધ થાય છે, તેથી તે યુક્ત નથી-આ પ્રમાણેની શકા કરતાં પૂર્વપક્ષ જણાવાય છે
स्नानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्या पूजेति मुग्धमतिः ॥९-१३॥
ગાથાનો અર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે પ્રતિષ્ઠા પછી પ્રતિમાજીની પૂજા માટે સ્નાન, વિલેપન, સુગંધી પુષ્પો અને ધૂપ-દીપાદિ પૂર્વે જણાવ્યા મુજબ અપેક્ષિત છે. એમાં જલ, વનસ્પતિ અને અગ્નિ વગેરેના જીવોની વિરાધના સ્પષ્ટ છે, જે સર્વથા નિષિદ્ધ છે. આવી પણ વિરાધનાથી થતી પૂજા દ્વારા શ્રી જિનેશ્વરદેવને સુખના અનુભવ સ્વરૂપ થોડો પણ ઉપકાર થતો હોય તો વિરાધનાને ગૌણ કરીએ, પરંતુ એ પણ શક્ય નથી. કારણ કે ભગવાનનાં બધાં જ કાર્યો પૂર્ણ થયેલાં