SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણોથી અધિક અને સદ્ધર્મોનું સારભૂત જે પરમાત્મસ્વરૂપ છે તેની પૂજા કરવામાં તત્પર એવો તે પૂજાને કરનારો; ત્રણ લોકમાં જે સુંદર છે, તેવાં પુષ્પાદિને મનથી પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે અગિયારમી અને બારમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સમજી શકાય છે કે કાયયોગસારા નામની . પહેલી પૂજામાં તે પૂજા કરનારા; પુષ્પો, સુગંધી દ્રવ્યો અને પુષ્પોની ગૂંથેલી માળા વગેરે પૂજાનાં દ્રવ્યો જે સારામાંનાં છે તે જ કાયમ માટે વાપરે છે. શ્રી વીતરાગપરમાત્માની પૂજા માટે ઉપલબ્ધ દ્રવ્ય જેમાં શ્રેષ્ઠ હોય છે તે પ્રથમ વિદનોપશમની પૂજા છે. ગમે તેવાં પુષ્પાદિ દ્રવ્યોથી વિનોપશમની પૂજા થતી નથી. પ્રારંભિક કક્ષાની પૂજામાં જે રીતે દ્રવ્યની શુદ્ધિ જાળવવી જોઈએ એ રીતે આજે લગભગ દ્રવ્યશુદ્ધિ જળવાતી નથી. આથી સમજી શકાશે કે કાયયોગસારા” પૂજા કરવાનું પણ કેટલું અઘરું છે. જે દ્રવ્ય મળે છે એમાંથી પણ શ્રેષ્ઠ દ્રવ્યને ગ્રહણ કરીને પૂજા કરાયા તો પ્રથમ પૂજા થઈ શકે છે.' પૂજામાં આવશ્યક એવાં ઉત્તમ દ્રવ્યો પોતાના સ્થાનમાં મળતાં ન હોય તો બીજે સ્થાનેથી કોઈને કહીને તે તે દ્રવ્યો મંગાવીને પણ તે તે દ્રવ્યોથી કરાતી પૂજા બીજી વાગ્યોગસારાઅભ્યદયપ્રસાધની પૂજા છે. હૈયાની ઉદારતા અને પરમાત્માની પ્રત્યે ઉત્કટ બહુમાન હોય તો આ બીજી પૂજા થઈ શકે. “આ દ્રવ્ય વિના નહિ જ ચાલે'-આવા પરિણામના કારણે બીજી પૂજામાં આ રીતે બીજે સ્થાનેથી પણ ઉત્તમ દ્રવ્યો મંગાવીને પૂજા કરવામાં આવે છે. શક્તિસંપન્નતા કરતાં પણ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy