________________
" ફલાવચ્ચક્યોગનું અસ્તિત્વ જણાય છે. આ ત્રણ અવચ્ચકયોગનું
સ્વરૂપ યોગદૃષ્ટિ એક પરિશીલન”માં જણાવ્યું છે. રાગદ્વેષના આત્માના તીવ્ર પરિણામને ગ્રંથિ કહેવાય છે. આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂનઓછી થાય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે. તે વખતની આત્માની પરિણતિને યથા-પ્રવૃત્તિકરણ કહેવાય છે. અવચ્ચકક્યોગ-ત્રણને આશ્રયીને પૂજાની ત્રિવિધતાનું વર્ણન પૂજા-વિશિકા'માં છે. ચાલુ પ્રકરણમાં એ ઉપયોગી જણાયાથી પ્રસંગથી એની વાત પણ અહીં જણાવી દીધી છે. જિજ્ઞાસુવર્ગે તેનું વિસ્તારથી સ્વરૂપ જાણવા માટે તે તે ગ્રંથોનું પરિશીલન કરવું જોઈએ. અહીં તો ખૂબ જ સંક્ષેપથી તેનું વર્ણન છે. ૯-૧૦
ત્રણેત્રણ પૂજામાં જે થાય છે તે જણાવાય છે– प्रवरं पुष्पादि सदा चायायां सेवते तु तदाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् ॥९-११॥ त्रैलोक्यसुन्दरं यन्मनसापादयति ,तत्तुं चरमायाम् ।. अखिलगुणाधिकसद्योगसारसद्ब्रह्मयागपरः ॥९-१२॥
પ્રથમ વિદનોપશમની પૂજા વખતે, તે પૂજા કરનારો પ્રવર-સારામાંનાં પુષ્પો વગેરેને સદા સેવે છે અર્થાત્ પોતાના હાથે અર્પણ કરે છે. બીજી અભ્યદયપ્રસાધની પૂજામાં, તે પૂજા કરનારો ચોક્કસ રીતે બીજે સ્થાનેથી સારામાંનાં પુષ્પો વગેરે મંગાવે પણ છે. નિર્વાણ સાધની છેલ્લી પૂજામાં, સમગ્ર