________________
તે તે કાર્યના ભેદથી પૂજા ત્રણ પ્રકારની છે. કાયયોગસારાદિ પૂજાના અનુક્રમે સમંતભદ્રા, સર્વમઙ્ગલા અને સર્વસિદ્ધિકલા આ પ્રમાણે નામો છે. તેના અર્થને અનુરૂપ તે તે પૂજા અનુક્રમે વિઘ્નોપશમ, અભ્યુદયપ્રસાધન અને નિર્વાણસાધનને કરનારી છે. ત્રણ પ્રકારની તે તે પૂજા સ્વતંત્ર રીતે વિઘ્નોપશમાદિ તે તે ફળને આપનારી છે.
તેમ જ અહીં પ્રથમ કાયયોગસારા-વિનોપશમની [સમંતભદ્રા] આ પૂજા; આદ્ય અવગ્ધક યોગ સ્વરૂપ યોગાવત્ચકયોગની પ્રાપ્તિ થવાથી સમકિતદૃષ્ટિને હોય છે. બીજી વાગ્યોગસારા-અભ્યુદય-પ્રસાધની [સર્વમંગલા]-આ પૂજા; બીજા અવગ્ધક યોગ સ્વરૂપ ક્રિયાવચ્ચક-યોગની પ્રાપ્તિ થવાથી શ્રાવકપણામાં દેશવિરતિધર્મના પાલન માટે જે ગુણો આવશ્યક છે તે ઉત્તરગુણને ધરનારા શ્રાવકને હોય છે અને ત્રીજી મનોયોગસારા નિર્વાણસાધની સર્વસિદ્ધિફલા]- આ પૂજા; ત્રીજા અવગ્ધક યોગ સ્વરૂપ ફલાવચ્ચક-યોગની પ્રાપ્તિ થવાથી પરમશ્રાવકને જ હોય છે. યથાપ્રવૃત્તિકરણવિશેષથી જે લોકો ગ્રંથિદેશે આવેલા છે તેમને ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ ફળને આપનારી પૂજા હોય છે. તેથી સદ્યોગાદિ ભાવની પ્રાપ્તિ થાય છે; પરંતુ તેથી એવી જાતના કોઈ અનુબંધની સિદ્ધિ થતી નથી. સામાન્ય રીતે યોગી પુરુષો, યોગના સાધન અને યોગને પ્રાપ્ત કરવાના અવસર વગેરેની પ્રાપ્તિ થવાથી યોગાવર્ગીક યોગનું અસ્તિત્વ જણાય છે. ત્યાર પછી યોગી જનોને વંદનાદિ કરવા વગેરેની પ્રવૃત્તિથી ક્રિયાવચ્ચકયોગનું અસ્તિત્વ જણાય છે અને યોગની સિદ્ધિ સ્વરૂપ ફળની પ્રાપ્તિથી
૨૨