________________
હવે પ્રકારમંતરથી [બીજી રીતે પૂજાના જ ત્રણ પ્રકાર જણાવાય છે –
कायादियोगसारा त्रिविधा तच्छुद्ध्युपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमान्ये तु समयविदः ॥९-९॥
કાયાદિ યોગો જેમાં સારભૂત છે એવી કાયયોગસાર, વચનયોગસારા અને મનોયોગસારા - આ પ્રમાણે પૂજા ત્રણ પ્રકારની છે. કાયાદિની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા વિધિન)થી જે પૂજા થાય છે તે શ્રેષ્ઠ પૂજા છે-એમ બીજા આગમના જાણકારો કહે છે.”- આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે પૂજા કરતી વખતે મન, વચન અને કાયાનો પરિશુદ્ધ ઉપયોગ હોવો જોઈએ. પૂજા માટે જે રીતે મનની એકાગ્રતા કેળવવાની છે, સૂત્ર-સ્તુતિ વગેરે જે રીતે બોલવાનાં છે અને કાયાને જે રીતે વંદનાદિ ક્રિયામાં પ્રવર્તાવવાની છે, તેનો ચોક્કસપણે ઉપયોગ રાખી તે તે રીતે જે પૂજા કરાય છે તેને અનુક્રમે મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા પૂજા કહેવાય છે. પૂજામાં મન, વચન અને કાયાની શુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. યોગશુદ્ધિ અને યોગપ્રણિધાનાદિસ્વરૂપે એનું વર્ણન અનેક ગ્રંથોમાં કરાયેલું છે. પૂજા કરનારાએ એનો ખ્યાલ રાખી મન, વચન અને કાયાના યોગને સારભૂત બનાવવા જોઈએ. મનમાં ભવથી તરવાનો ભાવ હોય; જ્ઞાનની પ્રત્યે અગાધ પ્રેમ હોય અને વિધિ પ્રત્યે ઉત્કટ રાગ હોય તો મનોયોગ, વચનયોગ અને કાયયોગ સારભૂત છે જેમાં એવી પૂજા ખૂબ જ સરળતાથી થઈ શકશે. મન, વચન અને કાયાના દોષોનો ત્યાગ કરી