________________
એ છઠ્ઠી-સાતમી ગાથાનો પરમાર્થ છે. ૯-૬, ગા
***
સામાન્ય રીતે દ્રવ્ય વગેરે ઉપકરણોથી પૂજા કરાય છે. અહીં સ્તોત્રથી પૂજા થાય છે-એમ જણાવ્યું છે, તો તે કઈ રીતે કહેવાય છે..તે જણાવાય છે
-
शुभभावार्थं पूजा स्तोत्रेभ्यः स च परः शुभो भवति । सद्भूतगुणोत्कीर्तनसंवेगात् समरसापत्त्या ॥ ९-८ ॥
“શુભ ભાવની પ્રાપ્તિ માટે પૂજા છે. પારમાર્થિક ગુણોના ઉત્કીર્તનના કારણે મોક્ષની ઈચ્છાથી સમરસની પ્રાપ્તિ થાય છે, તેથી તેવા પ્રકારની સ્તોત્રપૂજાથી અધિક શુભ ભાવ થાય છે.’’- આ પ્રમાણે સામાન્યથી આઠમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પુષ્પ વગેરે દ્રવ્યોથી કરાતી બધી જ પૂજા શુભ ભાવની પ્રાપ્તિ માટે છે. સ્તોત્ર-સ્તુતિ દ્વારા પણ શુભ ભાવ ઉત્કૃષ્ટ થાય છે અર્થાત્ શુભ-કલ્યાણનું કારણ બને એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય છે.
આથી સમજી શકાય છે કે પુષ્પવસ્ત્રાદિથી કરાતી પૂજાની જેમ જ સ્તોત્રથી કરાતી પૂજા પણ; પૂર્વશુભઅધ્યવસાય[પરિણામ-ભાવ]ની અપેક્ષાએ શુભતર અધ્યવસાયનું કારણ બને છે. તેથી સ્તોત્રમાં વિશિષ્ટપૂજાનું કારણત્વ સિદ્ધ થાય છે. સ્તોત્રપૂજાથી જે રીતે શુભતરભાવની પ્રાપ્તિ થાય છે, તે જણાવતાં ગાથાના ઉત્તરાદ્ધથી જણાવ્યું છે કે સ્તોત્રો દ્વારા થતી પૂજામાં; પરમાત્મામાં રહેલા પારમાર્થિક જ્ઞાનાદિગુણોનું ઉત્કીર્તન થાય છે. તેનાથી સંવેગ પ્રાપ્ત થાય છે. મોક્ષની
૨૫૮