SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવનારાં, અસ્મલિતાદિ ગુણોવાળાં અને મહાબુદ્ધિશાળી મહાત્માઓએ રચેલા સ્તોત્રો [સ્તવનાદિ] વડે પૂજા કરવી જોઈએ.”- આ પ્રમાણે છઠ્ઠી-સાતમી ગાથાનો સામાન્ય અર્થ આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ઉત્તમ પુષ્પાદિ પૂજાદ્રવ્યો વડે પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ સ્તોત્રાદિ દ્વારા સ્તોત્રપૂજા [ભાવપૂજા કરવી જોઈએ. એક હજાર ને આઠ લક્ષણો અને અતિશયો વગેરેના વર્ણનથી પરમાત્માના સર્વોત્કૃષ્ટ શરીરનું વર્ણન જેમાં કરાય છે તે સ્તોત્ર, પિંડશરીરને જણાવનારું છે. દુઃખે કરીને નિવારી શકાય એવા પરીષહ અને ઉપસર્ગમાં પણ ભયભીત બન્યા વિના તેની ઉપર વિજય પ્રાપ્ત કરવાદિ સ્વરૂપ, પરમાત્માનું જે સર્વોત્કૃષ્ટ આચરણ છે તેને અહીં ક્રિયા કહેવાય છે. એ ક્રિયાનું વર્ણન જેમાં છે તે સ્તોત્ર, ક્રિયાને જણાવનારું છે. શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિનો પરિણામ વગેરે, આત્માની સાથે કાયમ માટે રહેનારા ગુણો છે. એ સામાન્યથી અલ્પાંશે પણ દરેક જીવમાં હોવાથી સામાન્ય ગુણો છે. વિશેષથી તો કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ગુણો છે. એ ગુણોનું વર્ણન જેમાં છે એ સ્તોત્ર, ગુણોને જણાવનારું છે. આ રીતે પરમાત્માના પિંડ, ક્રિયા અને ગુણોના વિષયવાળાં જણાવનારા સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. ઉપર જણાવેલી બે ગાથાથી સ્તોત્ર-પૂજાનું વર્ણન કરતી વખતે ગ્રંથકારપરમર્ષિએ સ્તોત્રનું અગિયાર વિશેષણોથી વર્ણન કર્યું છે. એમાં પ્રથમ વિશેષણ પિયા !પતિ’નું વર્ણન કરીને બીજા વિશેષણનું વર્ણન
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy