SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જાળવી લેવી જોઈએ. પૂજા, શાસ્ત્રવિહિત હોવાથી આગમનાં વચનો મુજબ જ કરવાની છે અને તે પણ આ લોક કે પરલોક સંબંધી ફળની અપેક્ષા રાખ્યા વિના અનાશંસભાવે કરવાની છે. પુષ્પ, વસ્ર વગેરે દ્વારા અંગરચના કરવાથી તે તે પ્રકારે પ્રતિદિન અંગરચનાદિના કારણે વધેલા ભાવ વડે સારી રીતે પૂજા કરવી જોઈએ. ૯-૫]l *** પ્રતિષ્ઠા પછી પૂજા કરવાની હોય છે, તેથી પ્રતિષ્ઠાનિરૂપણ પછી પૂજાનું નિરૂપણ શરૂ કર્યું છે. એ પૂજા; પુષ્પ, નૈવેદ્ય વગેરે દ્રવ્યો અને સ્તોત્ર વગેરે ભાવના ભેદથી અનેક પ્રકારની છે. તેમાંની પુષ્પાદિ પૂજાનું સ્વરૂપ વર્ણવીને હવે સ્તોત્રપૂજાનું સ્વરૂપ બે ગાથાઓથી જણાવાય છે । पिण्डक्रियागुणगतै भीरै विविधवर्ण संयुक्तैः आशयविशुद्धजनकैः संवेगपरायणैः पुण्यैः ॥ ९-६ ॥ पापनिवेदनगर्भैः प्रणिधान पुरस्सरैर्विचित्रार्थेः अस्खलितादिगुणयुतैः स्तोत्रैश्च महामतिग्रथितैः ॥ ९-७॥ “શ્રી તીર્થંકરપરમાત્માનું અદ્ભુત શરીર, ચારિત્રની ક્રિયા અને શ્રદ્ધાજ્ઞાનાદિ ગુણોને જણાવનારાં; સૂક્ષ્મબુદ્ધિથી સમજી શકાય એવા ગંભીર અર્થવાળાં; છન્દ અને અલંકારાદિના કારણે વિવિધ વર્ણોની રચનાવાળાં; આશયશુદ્ધિને કરનારાં; સંવેગની પ્રાપ્તિને કરાવનારાં; પરમ પવિત્ર; પાપને [પોતે કરેલા પાપને જણાવનારાં, ઉપયોગ-પ્રધાન; વિવિધ અર્થને ૯ ૨૫૩
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy