________________
દ્રવ્યસ્નાન કહેવાય છે; તેમ જ જ્યારે મસ્તક ઉપર પણ સ્નાન કરાય છે ત્યારે પગથી માથા સુધીના એ સ્નાનને સર્વથા દ્રવ્યસ્નાન કહેવાય છે. આગમપ્રસિદ્ધ એવા કર્મમલના પ્રક્ષાલનના અધ્યવસાયવિશેષને ભાવસ્નાન કહેવાય છે. આ રીતે દ્રવ્ય અને ભાવ-ઉભય સ્નાનથી પવિત્ર બની પૂજા કરવી જોઈએ.
પૂજા કરતી વખતે શરીરનાં અંગ અને ઉપાંગ તેમ જ ઈંદ્રિયોનો સંવર [તે તે દ્વારા થતાં કર્મબંધનો અભાવ થાય તે રીતે પૂજા કરવી જોઈએ. અર્થાત્ વિહિત પ્રવૃત્તિને છોડીને બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરીને શરીર કે ઈદ્રિયો દ્વારા કર્મબંધ ન થાય એ રીતે પૂજા કરવી જોઈએ. અન્યથા શરીરનાં અંગોપાંગ કે ઈદ્રિયોનો સંવર શક્ય નહીં બને. ગ્રંથકારશ્રીએ આ સંવરને આત્મસંયમરૂપે અહીં વર્ણવ્યો છે અને આત્માનો અર્થ ‘શરીર’ કર્યો છે. શરીરને સંયમિત રાખ્યા વિના પૂજા કરવાથી પૂજાના વાસ્તવિક ફળને પામી શકાશે નહિ. કાયાનો સંયમ મનની એકાગ્રતા માટે ખૂબ જ આવશ્યક છે. અપ્રશા વિષય ખાન-પાનાદિમાં એ અનુભવસિદ્ધ છે.
પૂજા માટે વસ્ત્ર શ્વેત અને સુંદર હોવાં જોઈએ; લાલ પીળા વગેરે વર્ણવાળાં પણ સુંદર વસ્ત્રો ચાલે. સામાન્ય રીતે સારા પ્રસંગે વપરાતાં ઉજ્જ્વળ અને સુંદર એવાં વસ્ત્ર પૂજા માટે વાપરવાં જોઈએ. વસ્ત્રશુદ્ધિ પણ ભાવને પ્રાપ્ત કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ સાધન છે. વસ્ત્રશુદ્ધિ વિના કરાતી પૂજામાં આદર ન હોવાથી પૂજા કરતી વખતે વિવક્ષિત ભાવ આવતો નથી. એ ભાવને લાવવા માટે વસ્રની પણ પરિશુદ્ધિ
ઉપર