________________
દૂર કરી શકે છે. આથી જ પૂજા કરતી વખતે જે જે સાધનનો ઉપયોગ કરવાનો હોય છે તે તે સાધનનો સારી રીતે ઉપયોગ તેઓ કરી લે છે. કોઈ પણ ફળની સિદ્ધિ-પ્રાપ્તિ માટે તેનાં સાધનોનો સપ્રયોગ કરવાનું અનિવાર્ય હોય છે. આથી સમજી શકાશે કે ફળના સાધનનો સારી રીતે પ્રયોગ-ઉપયોગ કર્યો છે જેણે એવા બુદ્ધિમાને પૂજા કરવાની છે. કારણ કે પૂજાના ફળને પ્રાપ્ત કરવાની યોગ્યતા એ આત્માઓમાં જ હોય છે. ઈત્યાદિ અહીં વિચારવું જોઈએ. l૯-૪તા
બુદ્ધિમાન આત્માઓએ પણ કયા પ્રયત્ન વડે પૂજા કરવી જોઈએ તે જણાવાય છે –
शुचिनात्मसंयमपरं 'सितशुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चैः ॥९-५॥
વ્યસ્નાન અને ભાવ સ્નાનથી પવિત્ર થવા વડે; પવિત્ર ઉજ્વળ એવા વસ્ત્રને ધારણ કરી તેમ જ આ લોક કે પરલોક સંબંધી કોઈ વસ્તુની આશંસા રાખ્યા વિના ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિથી આગમનાં વચન મુજબ શરીરનાં અંગોપાંગાદિનો સંવર થાય એ રીતે પૂજા કરવી જોઈએ.” આ પ્રમાણે પાંચમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરમપવિત્ર એવા શ્રી તીર્થંકરપરમાત્માની પૂજા પવિત્ર બનીને કરવી જોઈએ. પવિત્ર બનવા માટે દ્રવ્યસ્નાન અને ભાવસ્નાન છે. દેશથી અને સર્વથા એ રીતે દ્રવ્ય-બાહ્ય સ્નાન બે પ્રકારનું છે. હાથ, પગ અને મુખના પ્રક્ષાલનને દેશથી