________________
ઉપર જણાવ્યા મુજબની પણ પૂજા કેવા પૈસાથી અને કેવા આત્માએ કરવી જોઈએ-તે જણાવાય છે –
न्यायार्जितेन परिशोधितेन वित्तेन निरवशेषेयम् ।। कर्त्तव्या बुद्धिमता प्रयुक्तसत्सिद्धियोगेन ॥९-४॥
ભાવવિશેષથી પરિશુદ્ધ કરેલા અને ન્યાયથી ઉપાર્જેલા ધનથી સારી રીતે સાધનોનો પ્રયોગ-ઉપયોગ જેણે કર્યો છે એવા બુદ્ધિમાન આત્માએ સકલ પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે કોઈ પણ જાતની પૂજા કરતી વખતે પૂજા માટે જે દ્રવ્ય વાપરવાનું છે; તે ન્યાયથી મેળવેલું હોવું જોઈએ, ચોરી વગેરે અન્યાયથી મેળવેલું નહીં હોવું જોઈએ. સામગ્રી ગમે તેટલી શ્રેષ્ઠ હોય પરંતુ તે સામગ્રી અન્યાયથી મેળવેલા દ્રવ્યથી મેળવેલી નહીં હોવી જોઈએ. આ વિષયમાં અત્યારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. “ન્યાયથી મેળવેલું ધન પણ છોડવાજેવું છે, રાખવાજેવું નથી. આજે નહિ તો કાલે ગમે ત્યારે જે અવશ્ય વિનષ્ટ થવાનું છે તો તેનો ઉપયોગ ગમે તે રીતે કરી જ લેવો એ હિતાવહ છે. સદ્ધવ્યને સન્માર્ગમાં આપણે નહિ વાપરીએ તો એ ધનનો કોણ જાણે ક્યાં ઉપયોગ થશે'ઈત્યાદિ ભાવનાથી એ વિત્ત પરિશુદ્ધ બનાવેલું હોવું જોઈએ.
આ રીતે ન્યાયોપાર્જિત પરિશોધિત ઘનના વ્યયથી બુદ્ધિમાને પૂજા કરવાની છે. વિશિષ્ટ પ્રજ્ઞા હોવાથી બુદ્ધિમાનને વિધિ, અવિધિ વગેરેનો પૂર્ણ ખ્યાલ હોય છે. તેથી તેઓ પૂજા કરતી વખતે આશાતનાદિને ખૂબ જ સરળતાથી