________________
ત્રીજી સર્વોપચારા પૂજા છે. એમાં બધી રીતે અંતઃપુર હાથી, ઘોડા, રથ વગેરે સામગ્રીથી વિનય-ઉપચાર કરાય છે; તેથી તે સર્વોપચાર પૂજા કહેવાય છે. આ ત્રણ પ્રકારમાંની પહેલી જે પૂજા છે તે બે જાનુ [ઢીંચણ], બે હાથ અને એક મસ્તકએમ મળીને પાંચ અોથી વિનય-ઉપચાર કરવાથી પચ્ચોપચારા' કહેવાય છે. તેમ જ આગમમાં જણાવ્યા મુજબ પાંચ વિનયનાં સ્થાનોથી સહિત હોવાથી “પચ્ચોપચારા' કહેવાય છે. એ - સચિત્ત પુષ્પમાલાદિનો ત્યાગ કરવો; અચિત્ત હાર વગેરેનો ત્યાગ ન કરવો, ખેસ ધારણ કરવો; પ્રતિમાજીનાં દર્શન થતાંની સાથે અંજલિ કરવી અને મનની એકાગ્રતા કરવી-આ પાંચ પ્રકારે જે વિનય-ઉપચાર કરાય છે, તેને પચ્ચોપચારા પૂજા કહેવાય છે. બીજી “અષ્ટોપચારા” પૂજામાં આઠ અલ્ગથી વિનય-ઉપચાર કરાય છે. મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ અને બે સાથળ-આ આઠ અંગોથી દંડવત્ જે પ્રણામ કરાય છે, તેને “અષ્ટોપચારા” પૂજા કહેવાય છે અને ત્રીજી પૂજામાં ઈદ્રાદિદેવની જેમ સર્વ બલ [ચતુરન્ગસેના સર્વવાહનાદિ; સર્વ પરિવાર, સર્વસંપત્તિ; સર્વ અલંકાર અને સર્વ આદર વડે જે પરમાત્માની પૂજા-ભક્તિ કરાય છે, તે સર્વોપચારા પૂજા કહેવાય છે. અર્થાત્ સવ્યવસેvi..ઈત્યાદિ આગમમાં જણાવ્યા મુજબ ઈદ્રાદિની જેમ શ્રીદશાર્ણભદ્રાદિએ જે પૂજા કરી તેવા પ્રકારની પૂજાને સર્વોપચારા પૂજા કહેવાય છે. I૯-૩