________________
તો જ તે વિવક્ષિત ફળને આપનારું બને છે. અનુષ્ઠાનમાત્રનું ફળ મોક્ષ છે. તે સકલકર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે અને તે વચનાનુસાર અનુષ્ઠાનથી જ શક્ય છે. અહીં વચનઆગમને અગ્નિની ઉપમા આપી છે. વચનાનલની ક્રિયા એટલે વચનનો ઉપયોગ રાખી તે મુજબ વર્તવું તે. એ વચનાનલની ક્રિયાથી કર્મસ્વરૂપ ઈન્ધનનો નાશ થાય છે. અને તેથી સિદ્ધકાંચનતાની પ્રાપ્તિ થાય છે. માત્ર ભાવસ્વરૂપ રસેન્દ્રથી જ; વચનાનલની ક્રિયાના કારણે ઉત્પન્ન થનાર કર્મેન્ધનદાહ વિના સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તેથી કર્મસ્વરૂપ ઈન્ધનના દાહમાં નિમિત્ત એવી વચનાનલની ક્રિયાનો પણ આદર કરવો જોઈએ. પ્રતિષ્ઠા વચનાનલક્રિયા સ્વરૂપ હોવાથી; “આ, આ પ્રમાણે કરવાનું છે? આવા પ્રકારની; શુભવ્યાપાર સ્વરૂપ અને વચનાનલક્રિયામાં અંતર્ગત એવી ઈતિકર્તવ્યતાથી યુક્ત છે. અગ્નિમાં ઈન્ધન નાખવા સ્વરૂપ એ ઈતિકર્તવ્યતાના કારણે આ બિંબની પ્રતિષ્ઠા ફલવાલી બને છે. આ રીતે મુખ્ય દેવતાને ઉદ્દેશીને પોતાના ભાવની જે પ્રતિષ્ઠા છે; એ ભાવના કારણે બિંબની પ્રતિષ્ઠા ફલવતી બને છે. એમાં ઉપર જણાવ્યા મુજબ વચનાનલક્રિયા [આગમાનુસારિતા પણ કારણ છે-એ સ્પષ્ટ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ એ વાતને જણાવતા ફરમાવ્યું છે કે બિંબગત પ્રતિષ્ઠા પણ પ્રકૃતમાં એ ભાવની સહકારિતાના કારણે વચનક્રિયા સ્વરૂપ હોવાથી ઈતિ-કર્તવ્યતાથી ફલવતી છે. અહીં ઈતિકર્તવ્યતાને ઈન્દનપ્રક્ષેપ જેવા શુભવ્યાપાર તરીકે વર્ણવી છે. એ શુભવ્યાપાર કર્મની ઉદીરણા રૂપ સમજવો. વચનાનલક્રિયાથી