SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધકાંચનતા થાય છે. કાલાંતરે પ્રાપ્ત થનારી એ સિદ્ધકાંચનતા પરમ કોટિની અને અપ્રતિબદ્ધ છે. કારણ કે સકલ કર્મના ક્ષયથી સિદ્ધકાંચનતા પ્રાપ્ત થતી હોવાથી પરમ પ્રકૃષ્ટ છે. અને કોઈ પણ સ્થાને વ્યાઘાત વિનાની હોવાથી અપ્રતિબદ્ધ છે. તાંબામાં રસસુવર્ણ રસનો અનુવેધ થવાથી - જેમ તાંબુ સુવર્ણભાવને પ્રાપ્ત કરે છે તેમ ઉપર જણાવ્યા મુજબના ભાવરમેન્દ્રથી જીવસ્વરૂપતાંબુ સિદ્ધકાંચનતા[મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. ૮-૮ , જીવસ્વરૂપ સિદ્ધકાંચનતાને કઈ રીતે પ્રાપ્ત કરે છે તે જણાવાય છે. આશય એ છે કે, પૂર્વે જણાવ્યા મુજબ ભાવરસેન્દ્રના કારણે કાલાન્તરે જીવને સિદ્ધકાંચનતા પ્રાપ્ત થાય છે. એ જણાવ્યું છે જ. પરંતુ ભાવથી જ પ્રાપ્ત થતી સિદ્ધકાંચનતામાં શાસ્ત્ર કઈ રીતે ઉપયોગી બને છે-તે જણાવાય છે - वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयाऽतः सफलैषाप्यत्र भावविधौ ॥८-९॥ “વચન એટલે આગમ [શાસ્ત્ર); એ વચનસ્વરૂપ અગ્નિના પ્રયોગથી કર્મસ્વરૂપ ઈન્જનનો દાહ થવાથી જે કારણે આ સિદ્ધકાંચનતા થાય છે. તેથી અહીં ભાવવિધિમાં શાસ્ત્ર મુજબ કરાયેલી પ્રતિષ્ઠા પણ સફળ છે.”-આ પ્રમાણે નવમી ગાથાનો શબ્દાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ અનુષ્ઠાન, શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક વચનાનુસાર હોય
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy