________________
બાલક્રીડાદેવી બને છે.
બાળક જેમ અનેક જાતના ઉપાયોને સેવી રમતના આનંદને અનુભવે છે. પરંતુ તે જેમ અજ્ઞાનમૂલક છે તેવી જ રીતે પૂજા કે સત્કાર વગેરે દ્વારા મુક્તિમાં રહેલા દેવતાવિશેષને પરિતોષ થાય છે-એ માનવાનું અજ્ઞાનમૂલક છે. આથી સમજાશે કે એ રીતે ઉપકારની માન્યતામાં ઉપર જણાવ્યા મુજબ બાલક્રીડાની સમાનતા સ્વરૂપ દોષ આવે છે. જે લોકો દેવતાવિશેષને પરિતોષ થાય-એ માટે નહિ પરંતુ પોતાના આત્મકલ્યાણ માટે પૂજા કે સત્કાર વગેરે કરે છે, તે લોકોને એ દોષ (બાલક્રીડાનું તુલ્યત્વ નથી. ૮-al
પરમાત્માની પ્રત્યે નિજ ભાવની પોતાના અભેદભાવની જ પ્રતિષ્ઠા છે-એ પ્રમાણે જે જણાવ્યું છે-તેમાં ઉપપત્તિ [ફલ પ્રયોજક યુક્તિ] જણાવાય છે -
भावरसेन्द्रात्तु ततो. महोदयाज्जीवता स्वरूपस्य । कालेन भवति परमाऽप्रतिबद्धा सिद्धकाञ्चनता ॥८-८॥
તે ભાવસ્વરૂપ રસેન્દ્રથી પુણ્યાનુબંધી પુણ્યસંપત્તિમિહોદયનો લાભ થવાથી કાલાંતરે જીવ સ્વરૂ૫; પ્રકૃષ્ટ અને અપ્રતિહત એવા સિદ્ધભાવ સ્વરૂપ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે.”આ પ્રમાણે આઠમી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે મુખ્યદેવતા સ્વરૂપ પરમાત્માના આલંબન સ્વરૂપ જે ભાવ છે તે રસેન્દ્રસ્વરૂપ ભાવથી મહોદય-પુણ્યાનુબંધી પુણ્યસંપત્તિ મળવાથી જીવતાસ્વરૂપ એટલે આત્મભાવની