SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બધી જ યતનાઓ સમાય છે. પ્રવચનના ઉપઘાતને કરનારી કોઈ પણ પ્રવૃત્તિ મોટા દોષના આરંભતુલ્ય છે. એની વિદ્યમાનતામાં નાના દોષોની નિવૃત્તિ માટેનો પ્રયત્ન અસદનુષ્ઠાનને જ ઉત્પન્ન કરનારો બને છે. આવી જ રીતે કોઈ વાર ગુરુદોષના આરંભ સ્વરૂપ કોઈ પ્રવૃત્તિ ન પણ હોય ત્યારે પોતાની વિશુદ્ધ પ્રવૃત્તિના અહંકારાદિને લઈને પૂ. સાધુ ભગવંતોની કે શ્રાવકોની નિન્દા વગેરેની પ્રવૃત્તિ થતી હોય છે. આપણે ગુણસંપન્ન હોઈએ તોપણ કોઈની પણ નિન્દા વગેરે કરવાનું સામાન્ય માણસને માટે પણ ઉચિત નથી. દોષની અસહનશીલતાના કારણે નિન્દા વગેરેની પ્રવૃત્તિ થતી નથી. પરન્તુ તે તે વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા વગેરે ઉત્પન્ન થવાથી નિન્દાદિની પ્રવૃત્તિ થાય છે, જે આત્માના સંક્લિષ્ટ અધ્યવસાયને સૂચવે છે. આવા અધ્યવસાયના કારણે કરાતું સદનુષ્ઠાન અસદનુષ્ઠાન બને છે. બાહ્યદૃષ્ટિએ અનુષ્ઠાન સદનુષ્ઠાનસ્વરૂપ હોય તોપણ સંક્લેશના કારણે તે સદનુષ્ઠાનસ્વરૂપે રહેતું નથી. આ રીતે સદનુષ્ઠાનની અપરિશુદ્ધતા કુશલબુદ્ધિવાળા આત્માઓ જ જાણી શકે છે. કારણ કે આન્તરિક પરિણામને જાણવાની કુશલતા તેઓને જ મળેલી હોય છે. આવા - સદ્ધર્મની પરીક્ષા માટે પંડિત પુરુષો આગમતત્ત્વનો વિચાર કરે છે-એ આ પૂર્વે જણાવ્યું છે. તે આગમતત્ત્વનું સ્વરૂપ દશમી ગાથાથી વર્ણવાય છે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy