________________
છે-આવા લોકો જે કોઈ સદનુષ્ઠાન કરે છે, તે અપરિશુદ્ધ અનુષ્ઠાન છે. કારણ કે જે લોકો પ્રવચનનો ઉપઘાત વગેરે સ્વરૂપ મોટા દોષોનો આરંભ વગેરે કરે છે તેઓનું અન્તઃકરણ [આન્તરપરિણામ પરિશુદ્ધ ન હોવાથી તેમના દ્વારા કરાતું સદનુષ્ઠાન અસદનુષ્ઠાન છે-એમ કુશલબુદ્ધિવાળા આત્માઓ ચોક્કસપણે જાણે છે. આ ગાથાથી અસદનુષ્ઠાનને જાણવાનો ઉપાય ખૂબ જ સરલ જણાવ્યો છે.
પ્રવચનનો ઉપઘાત ખરેખર જ ઘણો મોટો દોષ છે. આપણાથી પ્રવચનની તેવા પ્રકારની આરાધના ન પણ થાયએ બનવાજોગ છે. પરન્તુ પ્રવચનનો ઉપઘાત થાય-એવી એક પણ પ્રવૃત્તિ થાય નહિ એનું સતત ધ્યાન રાખવું જોઈએ. આપણી એ દુષ્ટ પ્રવૃત્તિને લઈને આપણે તો દુર્લભબોધિ થઈએ જ છીએ, પરંતુ કંઈ કેટલાય જીવોને પણ આપણે દુર્લભબોધિ બનાવીએ છીએ. સમ્યગુદર્શનાદિ ગુણોની ઘાતક એ પ્રવૃત્તિથી કોઈ પણ રીતે દૂર રહેવું જોઈએ. આત્માર્થી જીવોની યતનાપૂર્વકની થતી તે તે પ્રવૃત્તિ પણ ઘણીવાર પ્રવચનના ઉપઘાત કરનારી બનતી દેખાય છે. ત્યારે ગ્રન્થકાર પરમર્ષિએ વર્ષો પૂર્વે કરેલી વાત ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. નાનામાં નાના દોષો નહિ સેવવા માટે રખાતી કાળજી ખરાબ નથી; પરન્તુ આવા વખતે પ્રવચનનો ઉપઘાત થતો હોય તો, માનીએ કે ન માનીએ પણ અસદનુષ્ઠાન થાય છે-એ નિર્વિવાદ છે. આપણી કોઈ પણ પ્રવૃત્તિ; પ્રવચનના ઉપઘાતમાં નિમિત્ત બને નહિ-એનો સતત ખ્યાલ રાખવો-એ તાત્ત્વિક યતના છે. એના પાલનમાં બીજી