________________
સ્વરૂપની અપેક્ષાએ છે. બંને સ્થાને કહેવાનું તાત્પર્ય તો એક જ છે. કારણ કે આન્તરિક પરિણામથી વિકલ અનુષ્ઠાન કે અપરિશુદ્ધ સદનુષ્ઠાન વિવક્ષિત ફલને આપનારું બનતું નથી. માત્ર સંસારસ્વરૂપ ફળનું એ કારણ બનતું હોવાથી મુમુક્ષુજનો તેને ઉપાદેય માનતા નથી-એ યાદ રાખવું ૧-૮
ઉપર જણાવ્યા મુજબ પરિશુદ્ધ અને અપરિશુદ્ધ સદનુષ્ઠાનમાં જે વિશેષના કારણે પંડિતજનો “આ પરિશુદ્ધ અનુષ્ઠાન છે” અને “આ અપરિશુદ્ધ અનુષ્ઠાન છે'-આ પ્રમાણે ચોક્કસ જાણે છે તે વિશેષને જણાવાય છે.
गुरुदोषारंभितया तेष्वकरणयत्नतो निपुणधीभिः । सन्निन्दादेश्च तथा ज्ञायते एतन्नियोगेन ॥१-९॥
પ્રવચનનો ઉપઘાત થાય એવા મોટા દોષોની પ્રવૃત્તિના કારણે અને સામાન્ય નાના દોષો સર્વથા ન થાય-એ માટે પ્રયત્ન કરવાના કારણે તેમ જ સાધુપુરુષોની નિન્દા-ગહ તથા દ્વેષ વગેરે કરવાના કારણે કુશલ બુદ્ધિવાળા જીવો “આ અસદનુષ્ઠાન છે'-આ પ્રમાણે ચોક્કસ રીતે જાણે છે.” આશય એ છે કે જે લોકો શ્રીવીતરાગ પરમાત્માના પરમતારક પ્રવચન-શાસનનો ઉપઘાત થાય એવા ઉત્સુત્રભાષણ વગેરે મોટા દોષોને કરવાના સ્વભાવવાળા છે અને પોતાના હાથે અપ્રમાર્જનાદિ સૂકમ-નાના દોષો થઈ જાય નહિ-એ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે; તેમ જ પૂ. સાધુભગવન્તોની કે શ્રાવકોની - નિન્દા કે ગહ કરે છે, તેઓશ્રીની પ્રત્યે પ્રદ્વેષને ધારણ કરે