________________
સુપરિશુદ્ધ આન્તરિક પરિણામ કહેવાય છે, જે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમસ્વરૂપ છે. આવા સુપરિશુદ્ધ આન્તરિકપરિણામથી થનારું જે અનુષ્ઠાન છે તે શુદ્ધ સદનુષ્ઠાન છે. આ સુપરિશુદ્ધ આત્તર પરિણામથી અન્ય જે આ લોકાદિસંબંધી વૈષયિકસુખનો લાભ; પૂજા, ખ્યાતિ કે સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ વગે૨ે હેતુ છે; તેને લઈને થનારું સદનુષ્ઠાન છે તે સદનુષ્ઠાન અશુદ્ધ છે. અશુદ્ધ પરિણામના કારણે થનારું અનુષ્ઠાન બાહ્યદૃષ્ટિએ સદનુષ્ઠાન જણાય તોપણ તે અપરિશુદ્ધ અનુષ્ઠાન છે-એ સમજી શકાય છે. અશુદ્ધ પરિણામના કારણે થનારું જે અનુષ્ઠાન છે તેને સદનુષ્ઠાન તરીકે વર્ણવવાનું કારણ એ છે કે બાહ્યદૃષ્ટિએ તે અપરિશુદ્ધ અનુષ્ઠાન પરિશુદ્ધ સદનુષ્ઠાન જેવું દેખાય છે-આ જ વાતને સ્પષ્ટ કરતાં ટીકાકાર પરંમર્ષિએ ફરમાવ્યું છે કેપરિશુદ્ધ અને અપરિશુદ્ધ અનુષ્ઠાન યદ્યપિ [બાહ્યદૃષ્ટિએ] એકસરખા જ દેખાય છે, પરંતુ પંડિત પુરુષો જ એ બંન્ને અનુષ્ઠાનમાં ચોક્કસપણે વિવેક કરી અસુંદરરૂપે અપરિશુદ્ધ સદનુષ્ઠાનને જાણે છે. સુપરિશુદ્ધ સદનુષ્ઠાન અને અપરિશુદ્ધ સદનુષ્ઠાન-આ બેમાં જે ફરક છે તે બીજા જીવો સમજી શકતા નથી. ક્ષીર અને નીર [દૂધ અને પાણી] નો 'વિવેક કરવાનું સામર્થ્ય પંડિતજનોમાં જ હોય છે. બીજા જીવોમાં તે ન જ હોય-એ સ્પષ્ટ છે. સાતમી ગાથામાં ટીકાકાર પરમર્ષિએ તો સ્પષ્ટપણે જણાવ્યું છે કે આન્તરપરિણામથી રહિત જે અનુષ્ઠાન છે તે સદનુષ્ઠાન જ નથી. અહીં તેને અપરિશુદ્ધ અનુષ્ઠાન તરીકે વર્ણવ્યું છે-તે માત્ર તેના બાહ્ય
૧૮