________________
આન્તરિક પરિણામસ્વરૂપ ચારિત્રપૂર્વકની જ હોય છે. જે બાહ્ય ક્રિયાઓ તેવા આન્તરિક પરિણામથી વિકલ હોય છે, તેને સદનુષ્ઠાન જ કહેવાતું નથી. બાહ્યદૃષ્ટિએ આવાં અનુષ્ઠાનો સદનુષ્ઠાન જેવાં દેખાતાં હોય છે. પરન્તુ વસ્તુતઃ આન્તરપરિણામથી રહિત એવાં અનુષ્ઠાનો સદનુષ્ઠાન નથીએ યાદ રાખવું જોઈએ. ॥૧-જ્ઞા
***
ઉપર જણાવ્યા મુજબનું આ સદનુષ્ઠાન [બાહ્યદૃષ્ટિએ જણાતું સદનુષ્ઠાન] શુદ્ધ અને અશુદ્ધ-એ ભેદથી બે પ્રકારનું છે-તે જણાવતાં આઠમી ગાથાથી ફરમાવ્યું છે કે
परिशुद्धमिदं नियमादान्तरपरिणामतः सुपरिशुद्धात् । अन्यदतोऽन्यस्मादपि बुधविज्ञेयं त्वचारुतया ॥१-८॥
“સુપરિશુદ્ધ આન્તરિક પરિણામથી કરેલું આ સદનુષ્ઠાન ચોક્કસ જ પરિશુદ્ધ છે. એ આત્તર પરિણામથી ભિન્ન, આ લોકાદિસમ્બન્ધી પૂજા-ખ્યાતિના પરિણામથી કરાતું સદનુષ્ઠાન અપરિશુદ્ધ છે, જેને અસુંદર [ખરાબ] રૂપે પંડિતજનો સારી રીતે જાણી શકે છે.-' આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. તેને સ્પષ્ટ કરતાં ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે-આ સદનુષ્ઠાન સર્વથા પરિશુદ્ધ ત્યારે બને છે કે જ્યારે તે; ચારિત્રમોહનીયકર્મના તેવા પ્રકારના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા આન્તરિક આત્મિક] પરિણામથી થયેલું હોય. અને એ આન્તરિક પરિણામ પણ સુપરિશુદ્ધ હોય. સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનના કારણે ઉત્પન્ન આન્તરિક પરિણામને
૧૭