________________
આશય એ છે કે
આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. મધ્યમબુદ્ધિવાળા જીવો પૂર્વે જણાવ્યા મુજબ સદ્ધર્મની પરીક્ષામાં વૃત્તને પ્રધાન ગણે છે. માત્ર વૈષપરિધાનાદિ બાલિગોથી સદ્ધર્મની સિદ્ધિ થતી નથી. એની સાથે આચાર પણ જોઈએ. વૃત્ત એટલે વર્તન. તે વિધિ અને પ્રતિષેધ સ્વરૂપ ચારિત્રાત્મક છે. શ્રીવીતરાગપરમાત્માએ જેનું કર્તવ્યરૂપે વર્ણન કર્યું છે તે વિધિ છે અને જેનું વર્ણન અકર્તવ્યરૂપે કર્યું છે તે પ્રતિષેધ છે. વિધિ- પ્રતિષેધસ્વરૂપ એ ચારિત્ર અહીં સદનુષ્ઠાનસ્વરૂપ જણાવાય છે. આ સદનુષ્ઠાન; પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહ-આ પાંચ આશ્રવોસ્વરૂપ જે અસદ્ આરંભો છે તેની નિવૃત્તિવાળું અહીં વિવક્ષિત હોવાથી એ; હિંસા અસત્ય અને ચૌર્ય વગેરેની નિવૃત્તિસ્વરૂપ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહના અભાવ સ્વરૂપ છે. જોકે આ રીતે સદનુષ્ઠાનને ચારિત્રસ્વરૂપ માનવાનું ઉચિત જણાતું નથી. કારણ કે ચારિત્ર-મોહનીયકર્મના ક્ષયોપશમવિશેષથી પ્રાપ્ત થયેલ આત્મપરિણામવિશેષ સ્વરૂપ ચારિત્ર છે. અને સદનુષ્ઠાન તો બાહ્યસત્[વિહિત]ક્રિયાસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે આન્તરિક પરિણામસ્વરૂપ ચારિત્ર અને સદનુષ્ઠાન-આ બેમાં ઘણો જ ફરક છે. માટે સદનુષ્ઠાનને ચારિત્ર માનવાનું ઉચિત નથી; પરન્તુ કાર્યમાં હેતુનો આરોપ કરવાથી કોઈ જ અનુચિતતા નથી. સદનુષ્ઠાન, ઉપર જણાવ્યા મુજબ આન્તરિક પરિણતિનું કાર્ય છે. તેમાં તેના કારણભૂત આન્તરિક પરિણામસ્વરૂપ ચારિત્રનો આરોપ [ઉપચાર] કર્યો છે. કારણ કે સદનુષ્ઠાનસ્વરૂપ બાહ્ય ક્રિયાઓ
૧૬
.