________________
કરાતી ક્રિયાઓની અપેક્ષાએ એ વાત નથી. પરન્તુ શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક પ્રવચનમાં જણાવેલા સર્વ ગુણોથી શૂન્ય જે જીવો છે તેમની તે તે ક્રિયાઓની અપેક્ષાએ એ વચન છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલી તે તે ક્રિયાઓ વસ્તુતઃ તુચ્છ-અસાર નથી; પરન્તુ મોક્ષના હેતુ તરીકે ઉપદેશેલી સારભૂત છે. પરન્તુ તેવા પ્રકારના જીવોની અવિશુદ્ધ-તુચ્છ પરિણતિના કારણે તેમની તે તે ક્રિયાઓને તુચ્છ જણાવવી પડે છે. સારામાં સારી પણ વસ્તુ બીજા કોઈ પણ કારણે ખરાબમાં ખરાબ થઈ શકે છે. તેથી શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલી પણ પરમપવિત્ર ક્રિયાઓ; કરનારાની રાગાદિ પરિણતિના કારણે તુચ્છ કોટિની બનતી હોય છે-એમાં દોષ તો તે તે ક્રિયાને કરનારાઓનો છે. ક્રિયાઓ તો નિરવદ્ય જ હતી, એને સાવધ બનાવવાનું કાર્ય રાગાદિની પરિણતિ કરે છે.. છઠ્ઠી ગાથાનો આ પરમાર્થ છે. ૫૧-૬૫
***
સાતમી ગાથાથી, મધ્યમબુદ્ધિવાળા જીવો જે વૃત્ત વિચારે છે તેનું વર્ણન કરાય છે
वृत्तं चारित्रं : खल्वसदारम्भविनिवृत्तिमत्तच्च । सदनुष्ठानं प्रोक्तं कार्ये हेतूपचारेण ॥१-७ ॥
“કાર્યમાં કારણનો ઉપચાર [કાર્યને કારણસ્વરૂપે જણાવવું] કરવાથી; પાપવ્યાપાર સ્વરૂપ અસદ્ આરંભની નિવૃત્તિ છે જેમાં એવું જે સદનુષ્ઠાન [બાહ્ય કોટિના સદાચાર] સ્વરૂપ ચારિત્ર કહેવાય છે તે જ અહીં વૃત્ત છે.’’
૧૫