________________
વિડમ્બના-જનક પરિસ્થિતિ ન હોય-એ સમજી શકાય છે. બાહ્યદૃષ્ટિએ વિષયોપભોગાદિનો ત્યાગ કરવાથી અને આન્તરિક ધર્મની પરિણતિ ન હોવાથી આ લોક અને પરલોકમાં કોઈ લાભ ન રહ્યો. દુનિયાની નજરે કે લોકોત્તર આત્માઓની નજરે માત્ર બાહ્યલિન્ગને ધારણ કરનારા દયાપાત્ર બને છેઆ પ્રમાણે અન્ય દાર્શનિકો પણ માને છે. આપણા આગમમાં પણ, અનન્સીવાર દ્રવ્યલિંગને ધારણ કરવાનું સામાન્ય રીતે દરેક જીવને આશ્રયી વર્ણવ્યું છે. લોકોત્તર ઘર્મને જણાવનારાં સપૂર્ણ બાહ્યલિગોને અનન્તીવાર ધારણ કરવા છતાં નિસ્તાર ન થયો. આથી સમજી શકાશે કે અમેધ્યનિકર જેવાં અસારભૂત એવાં બાહ્યલિગોનો આજ સુધી સામાન્યથી બધા જ જીવોએ ઢગલો કર્યો છે. આવા જીવો પણ બાહ્યલિગ ધારણ કરે છે. પરન્તુ એનું કોઈ ફળ નથી. શાસ્ત્રોમાં
વ્યલિડ્યો અનન્સીવાર ધારણ કર્યા છે એ પ્રમાણે સ્પષ્ટપણે જે જણાવ્યું છે, તે અપ્રધાનદ્રવ્યની અપેક્ષાએ છે. પ્રધાન દ્રવ્યક્રિયાઓ તો ભાવનું કારણ બનતી હોવાથી તે અસાર નથી. ભાવપૂર્ણ ક્રિયાઓની કલ્યાણકારિતામાં કોઈ જ સંદેહ નથી. પરંતુ ભાવનું કારણ બનનારી એવી, તેવા પ્રકારના વિશિષ્ટ ભાવ વિનાની ક્રિયાઓ પણ કલ્યાણકારિણી બનતી હોય છે. ભાવ ન હોય-એ બને, પણ ભાવ લાવવાનો ભાવ પણ ન હોય તો કેમ ચાલે? ક્રિયામાત્રને કલ્યાણનું કારણ માની લેવાનું ઉચિત નથી. આ આશયથી જ “અનંતતો વૈદ્ધિાર્ડ-ઈત્યાદિ ઉલ્લેખ છે. શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબની ક્રિયાની પ્રાપ્તિ થાય-એ માટે
ની ભાવપૂબ ભાવનું કારની અપેક્ષમાણે પણ