________________
જણાવવા માટે છઠી ગાથા છે
मिथ्याचारफलमिदं ह्यपरैरपि गीतमशुभभावस्य । - સૂત્રેડવિમેતો મોરારિ -દ્દા
બીજા દર્શનકારોએ પણ અભ્યન્તર શુભભાવથી રહિત એવા લોકોનું આ બાહ્યવેષ-પરિધાનાદિ સ્વરૂપ લિગ મિથ્યા આચારનું જ કાર્ય છે એમ કહ્યું છે. આગમમાં પણ આવું બાલિગ અમેધ્ય-વિ]ના ઢગલા જેવા લોકોને હોય છેએમ કહ્યું છે-આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે લોકોને આભ્યન્તર ત્યાગાદિના પરિણામ નથી એવા શુભભાવથી રહિત લોકો જે કોઈ બાહ્ય-વેષ-પરિધાનાદિ લિગ્નને ધરે છે-તે તેમના મિથ્યા આચારનું જ કાર્ય-ફળ છે. બાહ્ય રીતે ઈન્દ્રિયોના સંયમનને કરી જેઓ રાત અને દિવસ પાંચેય ઈન્દ્રિયોના સ્પર્ધાદિ વિષયોને મનથી સ્મરતા યાદ કરતા હોય છે-તે બધા વિમૂઢ આત્માઓને મિથ્યાચાર કહેવાય છે. ખરેખર જ આત્મિક પરિણતિ વિના તેવા પ્રકારનું બાહ્યલિગને ધારણ કરવાનું-કાર્ય ક્લિષ્ટ જીવન જીવવા જેવું છે. કારણ કે આવા વખતે બાહ્યદૃષ્ટિએ ત્યાગધર્મનો સ્વીકાર કરવાથી વિષયનો ભોગ કે ઉપભોગ કરવાનું બનતું નથી અને આન્તરિક દૃષ્ટિએ ત્યાગનો કોઈ જ પરિણામ નહિ હોવાથી આત્મિક કોઈ લાભ થતો નથી. તેથી બુદ્ધિમાન જનોની દૃષ્ટિએ બંને રીતે કોઈ જ લાભ ન હોવાથી એવું જીવન નિન્દાયોગ્ય બને છે, જે ભૂતકાળમાં | ઉપાર્જેલા [બદ્ધ] અશુભ કર્મનો વિપાક જ છે. ચારિત્રમોહનીય અને અન્તરાયકર્મ વગેરેનો વિપાક ન હોય તો આવી