SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવિકતા હોવા છતાં ગુર્વાદિ પ્રતિષ્ઠા કરાવે તો તેથી કાંઈ ફળ મળતું નથી-આ પ્રમાણે કેટલાક કહે છે. વિધિપૂર્વક જ પ્રતિષ્ઠા કરાય તો જ ફળ મળે છે-આ પ્રમાણે કેટલાક માને છે તેની પાછળ કયો આશય છે તે તેઓ જ જાણે..૮-૪ *** પોતાના આત્મામાં જ પરમાત્માની સ્થાપનાને તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. પોતાના આત્માને છોડીને બીજે કરાતી સ્થાપનાને તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાતી નથી-તેનું કારણ જણાવાય છે बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया ॥८-५ ॥ જેથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન કરવું એ પરમ સમરસાપત્તિનું કારણ છે. બાહ્યબિંબની સાથે પણ એ રીતે ઉપચારથી પરમાત્માનું સ્થાપન કરવું એ પરમસમરસાપત્તિનું કારણ છે તેથી આ રીતે પોતાના આત્મામાં જ કરાતી નિજમુખ્ય-તાત્ત્વિક જાણવી અર્થ છે. એનો આશય એ છે કે-પૂર્વે જણાવ્યા મુજબ પોતાના આત્માગુણના નિધાન એવા શ્રી વીતરાગ પરમાત્માની સ્થાપના કરાય છે. તે જ ખરેખર તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. એનું કારણ એ છે કે આ રીતે પ્રતિષ્ઠા કરવાથી શ્રી વીતરાગ પરમાત્માના વીતરાગતાદિ અનંત ગુણોની સ્થાપના આત્મામાં થાય છે. આથી પોતાના આત્માનું સ્વરૂપ પરમાત્માના સ્વરૂપ જેવું બને છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં સમરસાપત્તિ ૨૩૪
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy