________________
વાસ્તવિકતા હોવા છતાં ગુર્વાદિ પ્રતિષ્ઠા કરાવે તો તેથી કાંઈ ફળ મળતું નથી-આ પ્રમાણે કેટલાક કહે છે. વિધિપૂર્વક જ પ્રતિષ્ઠા કરાય તો જ ફળ મળે છે-આ પ્રમાણે કેટલાક માને છે તેની પાછળ કયો આશય છે તે તેઓ જ જાણે..૮-૪
***
પોતાના આત્મામાં જ પરમાત્માની સ્થાપનાને તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. પોતાના આત્માને છોડીને બીજે કરાતી સ્થાપનાને તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાતી નથી-તેનું કારણ જણાવાય
છે
बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया ॥८-५ ॥
જેથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન કરવું એ પરમ સમરસાપત્તિનું કારણ છે. બાહ્યબિંબની સાથે પણ એ રીતે ઉપચારથી પરમાત્માનું સ્થાપન કરવું એ પરમસમરસાપત્તિનું કારણ છે તેથી આ રીતે પોતાના આત્મામાં જ કરાતી નિજમુખ્ય-તાત્ત્વિક જાણવી અર્થ છે. એનો આશય એ છે કે-પૂર્વે જણાવ્યા મુજબ પોતાના આત્માગુણના નિધાન એવા શ્રી વીતરાગ પરમાત્માની સ્થાપના કરાય છે. તે જ ખરેખર તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. એનું કારણ એ છે કે આ રીતે પ્રતિષ્ઠા કરવાથી શ્રી વીતરાગ પરમાત્માના વીતરાગતાદિ અનંત ગુણોની સ્થાપના આત્મામાં થાય છે. આથી પોતાના આત્માનું સ્વરૂપ પરમાત્માના સ્વરૂપ જેવું બને છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં સમરસાપત્તિ
૨૩૪