SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આથી જ ગ્રંથકાર પરમર્ષિએ “પૂજાવિંશિકા'માં ફરમાવ્યું છે કે-પોતે કરાવેલી હોવાથી આ સ્થાપના-પ્રતિષ્ઠા ઘણા ફળને આપનારી છે-આ પ્રમાણે કેટલાક માને છે. ગુર્નાદિકે-માતા પિતા, દાદા વગેરેએ કરાવેલી છે માટે આ સ્થાપના બહુફળને આપનારી છે-એમ કેટલાક માને છે. વિશિષ્ટવિધિથી કરાયેલી આ સ્થાપના છે તેથી તે ઘણા ફળને આપનારી છેએમ કેટલાક માને છે. શુદ્ધ સ્થાનમાત્રમાં પણ મનથી જ સ્થાપના કરાય, કોઈ વિશિષ્ટ સામગ્રી વિના માત્ર નવકાર બોલીને કરાય તોપણ એ પ્રશસ્ત છે. જે જગ્યાએ સ્થાપના કરવાની છે તે જગ્યાએ ઉપર નીચે પવિત્ર છાણ વગેરેથી લીંપીને સ્થાપના કરાય તો એટલાં પણ વિધિમાત્રથી સ્થાપના ફળને આપનારી છે. આ બધી જ માન્યતાઓમાં પોતે જે માનતા હોય તેમાં ઉપયોગ રાખવાપૂર્વક કરાયેલા અનુષ્ઠાનવાળા જીવોને સામાન્યથી વિશિષ્ટ અભિમત ફળ પ્રાપ્ત થાય છે, તેથી તે ઉપકારનું અંગ બને છે. સામાન્યથી અનુષ્ઠાન, બધાને તેના પોતાના ઉપયોગાનુસાર પ્રશસ્ત મનાય છે. પરંતુ કોઈના માટે કોઈ એક અનુષ્ઠાન નિયત સ્વરૂપે પ્રશસ્ત મનાતું નથી, તેથી જે જેના માટે ઉપકારક છે તે તેના માટે ઈષ્ટ હોય છે. ઉપર જણાવેલી; પોતે કરાવેલી સ્થાપના હોવાથી ઘણા ફળને આપનારી છે.. વગેરે બધી જ માન્યતાઓ એકાંતે બરાબર નથી. એવી તે તે માન્યતાને લઈને ભક્તિવિશેષની ઉત્પત્તિ થતી હોય તો યોગ્ય છે. પરંતુ મમત્વ કે કલહ વગેરેનું કારણ બને તો અયોગ્ય છે-એ યાદ રાખવું. આ રીતે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy