________________
પ્રતિષ્ઠા પાન ફી સંબંધથી
પ્રતિષ્ઠા કરાવનારનું અદૃષ્ટ તત્ત્વજ્ઞાનાદિના કારણે જ્યારે નાશ પામશે ત્યારે પ્રતિમા પૂજ્ય નહીં રહે. જોકે પ્રતિષ્ઠા કરાવનારાનું અદૃષ્ટ સ્વજન્યત્વાદિ સંબંધથી પ્રતિમાજીની પ્રતિષ્ઠાદિમાં હોવાથી પૂજાના ફળમાં કોઈ અનુપપત્તિ નથી. તેમ જ પ્રતિષ્ઠા કરાવનારાના અદૃષ્ટનો ધ્વંસ થવા છતાં સ્વજન્યધ્વસવત્ત્વસંબંધથી અદૃષ્ટ વિદ્યમાન હોવાથી પ્રતિમામાં પૂજ્યત્વ પણ રહી શકે છે. પરંતુ પ્રતિષ્ઠા કરાવનારના અદૃષ્ટને જો પૂજાના ફળને આપનારું માનીએ તો જ્યારે પ્રતિષ્ઠા થયા પછી પ્રતિમાજીને ચાંડાળનો સ્પર્શ થાય છે ત્યારે અદૃષ્ટ અને સ્પર્શના અનુક્રમે પ્રતિષ્ઠા કરાવનાર અને પ્રતિમાજી બંને અધિકરણો જુદાં હોવાથી સ્પર્શથી તે અદૃષ્ટનો નાશ નહીં થાય. અને તેથી ચાંડાળના સ્પર્શ પછી પણ પ્રતિમાજીમાં પૂજ્યત્વમાનવું પડશે. આવો પ્રસંગ આવે નહિ માટે પ્રતિષ્ઠા કરાવનારના અદૃષ્ટને પૂજાના ફળને આપનારું માનવાનું યોગ્ય ન હોવાથી “પ્રતિષ્ઠાથી ઉત્પન્ન થયેલી અને ચાંડાળાદિના સ્પર્શથી જેનો નાશ થાય છે એવી શક્તિ પૂજાના ફળ પ્રત્યે પ્રયોજક છે.'-આ પ્રમાણે મીમાંસકોની જે વિચારણા છે તે બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભક્તિવિશેષને પ્રતિમાજીની પૂજાના ફળની પ્રયોજિકા માનવાથી કોઈ દોષ આવતો નથી. પ્રતિમાજીને ચાંડાળનો સ્પર્શ થયો છે-એના અનુસંધાનથી ભક્તિવિશેષ રહેતી નથી, જેથી તેવા સ્થળે પૂજાના ફળને માનવાનો પ્રસંગ આવતો નથી.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ ભક્તિવિશેષને પૂજાના