________________
માનીએ તો યપિ દરેક વિહિત ક્રિયાને પ્રતિષ્ઠા માનવાનો પ્રસંગ આવશે; પરંતુ દેવપૂજાદિ વિહિત અનુષ્ઠાન વખતે સામાન્યથી તે તે ગુણની સિદ્ધિનો ઉદ્દેશ હોવાથી તે તે ગુણની સિદ્ધિ દ્વારા પ્રાયઃ વિશિષ્ટ બુદ્ધિ ધરાવનારાને પરમાત્માની સાથે સમાપત્તિ [એકરૂપતા] પ્રાપ્ત થાય છે. પ્રતિષ્ઠા વખતે તો શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક બિંબની સ્થાપનાનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે વચનાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ ભાવથી પરમાત્માના બધાં જ ગુણોનો આરોપ કરતી હોવાથી બધા જ ગુણોને આશ્રયીને ‘હું પરમાત્મા જ છું.’ આ પ્રમાણે અભેદસ્વરૂપે પોતાના આત્મામાં પરમાત્માની સ્થાપના થાય છે. તેથી દેવપૂજાદિ અનુષ્ઠાનોની અપેક્ષાએ આ પ્રતિષ્ઠાસ્વરૂપ અનુષ્ઠાનમાં મોટી વિશેષતા છે, જે ગાથામાં ઉજ્જૈઃ આ પદથી જણાવી છે. આ સર્વ ગુણોને આશ્રયીને અભેદોપચાર સ્વરૂપ] ભાવ તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. શ્રી જિનબિંબની સ્થાપના વખતે તે જ પરમાત્મા આ છે’-આ પ્રમાણેના નિજ [પોતાના] ભાવની મુખ્યદેવતાને આશ્રયી જે બાહ્યપ્રતિષ્ઠા થાય છે તે ઔપચારિક છે. આ પરમાત્મા પ્રતિષ્ઠિત છે' આવા પ્રકારના જ્ઞાનથી પ્રગટ થયેલી ભક્તિવિશેષના કારણે લોકોને તે પ્રતિષ્ઠા પૂજાના ફળને આપનારી છે.
પ્રતિષ્ઠા કરાવનારનું અદૃષ્ટ [ધર્મ-પુણ્ય] પૂજાના ફળને આપનારું છે-એમ માની શકાશે નહિ. કારણ કે પ્રતિષ્ઠા કરાવનારનું એ અદૃષ્ટ પૂજા કરનારા આત્મામાં નથી. તેથી જ્યાં કારણ નથી ત્યાં કાર્ય ન થાય-એ સમજી શકાય છે.
૨૩૦