________________
આ પ્રતિષ્ઠા શું છે ? મુક્તિમાં ગયેલા મુખ્યદેવતાવિશેષનું સન્નિધાન પ્રતિષ્ઠા છે કે પછી તેમના અનુવર્તી સંસારીદેવતાવિશેષનું સન્નિધાન પ્રતિષ્ઠા છે ? પૂર્વે જણાવ્યા મુજબ મુખ્યદેવતાવિશેષને મંત્રાદિ સંસ્કારોથી અહીં લઈ આવવાનું શક્ય ન હોવાથી પ્રથમ વિકલ્પ સ્વરૂપ પ્રતિષ્ઠા માની શકાશે નહિ. બીજા વિકલ્પ સ્વરૂપે પણ પ્રતિષ્ઠા માની શકાશે નહિ. કારણ કે સામાન્યદેવજાતીય એ દેવનું સન્નિધાન; મંત્રાદિ સંસ્કારોથી નિયતરૂપે શક્ય નથી. કોઈ વખત હોય અને કોઈ વખત ન પણ હોય. અનિયત સન્નિધાન, પ્રતિષ્ઠા કે અપ્રતિષ્ઠાથી પ્રયોજ્ય નહીં બને. તેથી આ પ્રતિષ્ઠા શું છે' - આવી શંકાના સમાધાન માટે આત્માનો ભાવવિશેષ જ પ્રતિષ્ઠા છે તે જણાવવા માટે ચોથી ગાથા છે.
એનો પરમાર્થ સમજાવતાં પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે; સારી રીતે આગમાનુસારે મુખ્યદેવતાવિશેષને આશ્રયીને પોતાના ભાવને જ આત્મામાં જ સ્થાપન કરવો તે શાસ્ત્ર વર્ણવેલી પ્રતિષ્ઠા છે. પોતાના ભાવના વિષયભૂત દેવતાવિશેષને છોડીને અન્યની સ્થાપનાને પ્રતિષ્ઠાસ્વરૂપે વર્ણવી નથી.
સામાન્યથી આગમના ઉપયોગપૂર્વક આગમથી વિહિત એવી કોઈ પણ ક્રિયા [માત્ર પ્રતિષ્ઠા જ નહિ] કરવાથી એ વચનાનુષ્ઠાન બને છે. તેના પ્રભાવે દરેક વચનાનુષ્ઠાનથી ભગવાનના ગુણોનું જે સ્મરણ થાય છે તેનાથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન થતું જ હોય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ નિજભાવની આત્મામાં સ્થાપનાને પ્રતિષ્ઠા
૨૨૯