________________
આશય અ
ને પોતાના સાની પોતાની
જણાવેલા બન્ને વિકલ્પો પ્રતિષ્ઠા માટે ઉપયોગી નથી. તેથી પ્રતિષ્ઠા શું છે ?' એ પ્રશ્નના સમાધાનમાં આત્માના શુદ્ધભાવવિશેષની જ પ્રતિષ્ઠા છે, એ જણાવાય છે –
भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत्स्थापनमिह वचननीत्योच्चैः ॥८-४॥
“મુખ્યદેવતાને ઉદ્દેશીને પોતાના ભાવનું જ આગમના અનુસારે સારી રીતે પોતાના આત્મામાં જ જે સ્થાપન છે. તે અહીં પ્રતિષ્ઠા છે.” આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ મુખ્યદેવતા[મોક્ષે ગયેલા]ને ઉદ્દેશીને પોતાના ભાવની એટલે કે પોતાના ભાવના વિષય સ્વરૂપ મુખ્યદેવતાની પોતાના આત્મામાં જ આગમમાં જણાવેલી રીતે જે સ્થાપના છે તેને પ્રતિષ્ઠા કહેવાય છે. એ સિવાય બીજી કોઈ જ પ્રતિષ્ઠા નથી. બાહ્ય શ્રી જિનેશ્વરદેવોનાં પ્રતિમાજીની જે પ્રતિષ્ઠા છે તેનું બહાર પોતાના [શ્રી જિનાલયાદિને કરાવનારાના ભાવના ઉપચારથી વિદ્વાનો માટે પૂજ્યતાનું કારણ બને છે. ભક્તિભાવવંત એવા તે વિદ્વાનો પ્રતિષ્ઠા કરાવનારના ભાવના વિષયભૂત પરમતારક પરમાત્મા આ જ છે આવા પ્રકારના અભેદ ઉપચારને કરતા હોય છે. એને લઈને બાહ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા પૂજ્યતાનું સ્થાન બને છે. - પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ પણ ઉપર જણાવ્યા મુજબ ગાથાની અવતરણિકા[ગાથા રચવા પાછળનો હેતુમાં ફરમાવ્યું છે કે