________________
વર્ષો વીતી જતાં હોય છે. આવી જ રીતે શ્રી જિનાલયનું કામ બાકી રાખીને પણ પ્રતિષ્ઠા કરી લેવાય છે. સામાન્યથી તે બરાબર નથી. પરિણામે તે અનેક જાતની આશાતનાનું કારણ બનતી હોય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ પ્રતિમાજી ભરાવવાદિનું કાર્ય પૂર્ણ થયા પછી દશ દિવસમાં જ પ્રતિષ્ઠા કરાવી લેવી જોઈએ. ll૮-૧
પ્રતિષ્ઠાના ત્રણ પ્રકાર જણાવાય છે - व्यक्त्याख्या खल्वेका क्षेत्राख्या चापरा महाख्या च । . यस्तीर्थकृद् यदा किल तस्य तदायेति समयविदः ॥८-२॥ ..
વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા-આ ત્રણ ભેદથી પ્રતિષ્ઠા ત્રણ પ્રકારની છે. જે કાળે જે શ્રી તીર્થંકરપરમાત્માનું શાસન ચાલતું હોય તે કાળે તે શ્રી તીર્થંકર પરમાત્માની જ જે પ્રતિષ્ઠા કરાય છે-તેને આગમના જાણકારો પ્રથમ-વ્યક્તિપ્રતિષ્ઠા કહે છે. Iટ-રા
બીજી ક્ષેત્રપ્રતિષ્ઠાનું સ્વરૂપ જણાવાયું છે - ऋषभायानां तु तथा सर्वेषामेव मध्यमा ज्ञेया । सप्तत्यधिकशतस्य तु चरमेह महाप्रतिष्ठेति ॥८-३॥
શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકર પરમાત્માની પ્રતિષ્ઠાને મધ્યમ-ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે. ભારત-ઐરાવતમાં ચોવીશ શ્રી તીર્થંકર પરમાત્માઓ થાય છે. તેથી તે બધાની