SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસરનારા હોય છે તેમની પ્રત્યે ભક્તિ, વિનય અને પૂજાસત્કારાદિ કરાતા હોય છે તેમ જ અનુષ્ઠાનની પ્રવૃત્તિ દરમ્યાન આગમનું સ્મરણ હોય છે. આવા અનુષ્ઠાનને આશયવિશેષથી શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. આગમનું અનુસરણ; આગમના અનુસરણાદિને કરનારાઓ પ્રત્યે ભક્તિ, વિનય, પૂજન વગેરે અને આગમની સ્મૃતિથી યુક્ત આશયને [આત્માના શુભપરિણામને] પ્રશસ્ત આશયવિશેષ તરીકે અહીં વર્ણવ્યો છે, જે ફળવિશેષનું કારણ બને છે. II૭-૧૩ *** ઉપર જણાવેલા આશયવિશેષથી અને એના અભાવથી કરાવાતા શ્રી જિનબિંબના નામમાં અને ફળમાં જે ભેદ [વિશેષ-ફરક] છે-તે જણાવાય છે – एवंविधेन यद् बिम्बकारणं तद् वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ॥७-१४॥ આવી રીતે શુદ્ધ આશયથી જે જિનબિંબ કરાવાય છે તેને શાસ્ત્રના જાણકારો લોકોત્તર અર્થાત્ આગમાનુસારી તરીકે જણાવે છે. આશયવિશેષથી કરાવાતા શ્રી જિનબિંબને છોડીને અન્ય રીતે જે શ્રી જિનબિંબ કરાવાય છે; તે લૌકિક છે અને એનાથી અભ્યુદયની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આશયવિશેષથી કરાતું અનુષ્ઠાન લોકોત્તર હોય છે અને આશયવિશેષ વિના કરાતા અનુષ્ઠાનને લૌકિક કહેવાય છે. લૌકિક અનુષ્ઠાનનું ફળ અભ્યુદય છે અને આગળની ગાથામાં જણાવાશે એ મુજબ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આ ૨૨૨
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy