SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ થતી નથી. વિશિષ્ટ ફળની પ્રાપ્તિ તો આશયવિશેષના કારણે થાય છે.” આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પ્રતિમાજી મોટાં કે નાનાં બનાવીએ; વિશિષ્ટ અલ્ગોપાલ્ગની રચનાથી સુંદર હોય કે ન પણ હોય અથવા સુવર્ણાદિથી ઉત્તમોત્તમ દ્રવ્યમય હોય કે પાષાણાદિમય હોય; આવી કોઈ પણ જાતની બાહ્યવિશેષતાને લઈને કોઈ વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી. વિશિષ્ટ અધિક ફળની પ્રાપ્તિ તો પ્રતિમાજી બનાવતી વખતના ભાવવિશેષને આશ્રયી થાય છે. ભાવ અધિક હોય તો ફળ અધિક મળે છે અને ભાવ અલ્પ હોય તો ફળ અલ્પ મળે છે. આ રીતે ભાવ અને ફળને વ્યાપ્તિ [અવિનાભાવ છે. પરંતુ પ્રતિમાજી મોટાં, સુંદર અથવા સુવર્ણાદિનાં હોય તો વિશિષ્ટ [અધિક ફળ અને પ્રતિમાજી નાનાં, અસુંદર અથવા પાષાણાદિનાં હોય તો અલ્પફળ : આવી વ્યક્તિ નિયમ નથી. મોટાં, સુંદર અને સુવર્ણાદિ ઉત્તમદ્રવ્યથી બનાવેલાં પ્રતિમાજી હોય અને ભાવ પણ સારો હોય તો અધિકફળ મળે. પરંતુ મોટાં, સુંદર કે સુવર્ણાદિનાં જે પ્રતિમાજી હોય તો અધિક ફળ મળે-એવો નિયમ નથી. . આથી સમજી શકાશે કે ભાવશૂન્ય માત્ર બાહ્યવિશેષ; ફળની વિશેષતાનું આધાન કરતો નથી. ભાવયુક્ત એવા બાહ્યવિશેષથી ફળની વિશેષતા પ્રાપ્ત થતી હોય છે. બિંબ મોટું હોય, સુંદર હોય અને સુવર્ણાદિમય હોય તો કોઈ વાર ભાવવિશેષનું કારણ બની જાય તો એટલાપૂરતો બાāવિશેષ આદરણીય બને છે. એવો બાહ્યવિશેષ ભાવવિશેષનું આધાન
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy