________________
છે-તે જણાવાય છે
मन्त्रन्यासच तथा प्रणवनमः पूर्वकं च तन्नाम । मन्त्रः परमो ज्ञेयो मननत्राणे तो नियमात् ॥ ७-११॥
શ્રી જિનબિંબમાં મંત્રન્યાસ કરવો. ૐ નમઃપૂર્વક શ્રી વીતરાગપરમાત્માનું જે નામ છે તે પરમમંત્ર જાણવો. કારણ કે એથી નિયમે કરી મનન [જ્ઞાન] અને ત્રાણ [રક્ષા] થાય છે.' આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરમાત્માનું જે પરમતારક બિંબ કરાવવાનું ધાર્યું છે તે શ્રી વીતરાગપરમાત્માના પુણ્યનામની પૂર્વમાં ૐ અને નમઃ જોડીને એ પુણ્યનામસ્વરૂપ જ મંત્રનો ન્યાસ કરવો. પરમાત્માના આ પરમપવિત્ર નામથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અપાયથી રક્ષા થાય છે, તેથી તે પરમ મંત્ર છે......
119-9911
***
શ્રી જિનબિંબ રત્ન, સુવર્ણ કે પાષાણાદિનું બનાવીએ તો તેમ જ મોટું કે નાનું વગેરે બનાવીએ તો વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી • પરિણામની વિશેષતાથી ફળવિશેષની પ્રાપ્તિ થાય છે-આ શંકાના સમાધાન માટે જણાવાય છે
बिम्बं महत् सुरूपं कनकादिमयं च यः खलु विशेषः । नास्मात् फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् ॥७-१२॥
“શ્રી જિનબિંબ મોટું સુંદર આકૃતિવાળું કે સુવર્ણાદિનું હોય; એમાં જે બાહ્યવિશેષ છે તેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ
૨૧૭