SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ “અહીં પ્રતિમાજીના નિર્માણમાં જે સ્વરૂપે જેટલા પ્રમાણમાં જેનું વિત્ત મારા વિત્તમાં જાણે-અજાણે આવી ગયું છે તે પુરુષને તેટલા પ્રમાણમાં પ્રતિમાજીના નિર્માણથી ઉત્પન્ન થયેલું પુણ્ય પ્રાપ્ત થાઓ ! આ પ્રમાણે શુભાશય કરવાથી પ્રતિમાજીના નિર્માણ માટેનું ન્યાયપ્રાપ્ત વિત્ત “ભાવશુદ્ધ બને છે.”-આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરાવનાર ન્યાયથી પ્રાપ્ત જ પોતાના દ્રવ્યથી પ્રતિમાજી ભરાવે છે. આવા અવસરે કોઈ વ્યક્તિ ભાવપૂર્ણ આગ્રહથી થોડી રકમ આપે ત્યારે તે રીતે અથવા અજાણપણે કોઈ આપી ગયું હોય ત્યારે સ્થાવર જમીનરૂપે અથવા ઈટ, પથ્થર વગેરે સાધનરૂપે કે રકમરૂપે જે ઘન પોતાના ધનમાં ભેગું થયું હોય, એ પોતાનું ન હોવાથી સ્વદ્રવ્ય તરીકે અનુચિત છે. આવી જાતિના અનુચિત સ્વદ્રવ્યથી શ્રી જિનબિંબ કરાવનારનો એ શુભાશય છે કે; જેટલા અંશમાં પરદ્રવ્ય ભેગું થયું છે અને તેથી તે દ્રવ્યથી જે પુણ્ય થાય છે તે પુણ્ય તે તે દ્રવ્યના સ્વામીને થાય. આ રીતે સ્વદ્રવ્યમાં ભેગા થયેલા પારદ્રવ્યથી પુણ્ય નહિ કરવાના શુભભાવને લઈને પોતાનું ન્યાયપાર્જિત વિત્ત “ભાવશુદ્ધ બને છે. આઠમી ગાથામાં માવશુઘેન આ પદથી મુખ્યપણે આ ભાવને જણાવ્યો છે. આ ભાવના કારણે જ ઉપર જણાવ્યા મુજબ પરદ્રવ્ય; સ્વદ્રવ્યપ્રવિષ્ટ હોવા છતાં સ્વદ્રવ્ય સર્વથા શુદ્ધ મનાય છે.. ll૭-૧oll શ્રી જિનબિંબ કરાવતી વખતે જે વિધિવિશેષ કરવાનો
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy