SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ થાય, કુમાર હોય તો બહાર મિત્રોની સાથે રમવા, ફરવા વગેરેની ઈચ્છા થાય અને યુવાન હોય તો વિશેષ આહારાદિની ઈચ્છા થાય. તેને ઉપયોગપૂર્વક જાણીને શિલ્પીને ઉપભોગનાં સાધન એવાં અને ભોગનાં સાધન એવાં રમકડાં વગેરે અને આહારાદિ વગેરે આપવાં, જે જોતાંની સાથે આશ્ચર્ય ઉપજાવે એવાં હોવાં જોઈએ. તેથી તેને પામીને ખુશ થયેલા તે સરસ કામ કરવા સમર્થ બનશે. આવા અવસરે તે તે મનોરથો શિલ્પીને થયા છે એમ માનવાના બદલે પ્રતિમાજીની જ એ અવસ્થાઓ છે-એમ સમજીને તે તે વસ્તુઓ શિલ્પીને આપીને પ્રતિમાજીની તે તે અવસ્થાને જોવાથી થયેલા તે તે મનોરથોને પૂર્ણ કરવા પ્રયત્ન કરવો. વિવેકપૂર્વક કરેલો એ પ્રયત્ન ચોક્કસ જ કાર્યસિદ્ધિનું કારણ બન્યા વિના નહીં રહે. ચાલુ વ્યવહારમાં પણ જેમની પાસેથી કામ લેવાનું છે, તે કાર્યકરોની તે તે જરૂરિયાત અંગે ખૂબ જ ઉપયોગપૂર્વક ધ્યાન આપીએ; અને તેઓને તે અંગે કહેવાની જરૂર જ ન પડે તો તે કાર્યકરો આપણું કામ સજ્વર અને સરસ રીતે કરી આપે છે - એ આપણે નજરે જોઈએ છીએ. તેથી પ્રતિમાજી ભરાવતી વખતે એ રીતે ધ્યાન રાખીને શિલ્પીને ખુશ રાખવો જોઈએ-એ પરમાર્થ છે. II૭-૯ આઠમી ગાથામાં “ભાવશુબેન'-આ પ્રમાણે જણાવ્યું છે; તેનો આશય જણાવાય છે - • यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशयकरणादित्येतद् भावशुद्धं स्यात् ।।७-१०॥
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy