SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ત હોય તો કાર્ય ઉત્તમ રીતે થાય અને ધાર્યા મુજબ ફલપ્રદ બને-એમાં કોઈ શંકા નથી. આ ગાથામાં વિશેષભાવ ગૃહીત છે તે પણ દસમી ગાથામાં સ્પષ્ટપણે જણાવાશે. ૭-૮ પૂર્વે ગાથામાં વી.આ પ્રમાણે જણાવ્યું છે, ત્યાં વોક્ત પદાર્થનું વિવરણ કરાય છે - अत्रावस्थात्रयगामिनो, बुधैौठ्दाः समाख्याताः । : बालाघाश्चैत्ता यत् तत् क्रीडनकादि देयमिति ॥७-९॥ “અહીં શ્રી જિનબિંબ કરાવવાના પ્રસંગે બાલાદિ અવસ્થા-ત્રણને અનુસરનારા મનોરથો વિદ્વાનોએ કહ્યા છે. શિલ્પીના ચિત્તમાં ઉદ્ભવેલા એ બાલાદિ અવસ્થાનુરૂપ મનોરથો હોય તેથી તે ઈચ્છાઓની પૂર્તિ માટે રમકડાં વગેરે આપવાં.' આ પ્રમાણે નવમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી જિનબિંબનું નિર્માણકાર્ય જ્યારે શિલ્પીઓ કરે છે, ત્યારે બાલ, કુમાર અને યુવાન અવસ્થાને ઉચિત એવા રમવા વગેરેના મનોરથ [ઉત્કટ અભિલાષ ઉત્પન્ન થાય છે. આવા પ્રસંગે તેની એ ઈચ્છાઓને જાણીને સમયસર યોગ્ય રીતે પૂર્ણ કરવી જોઈએ. જો કોઈ સંયોગોમાં ઈચ્છાઓ અપૂર્ણ રહે તો શિલ્પીનું મન અપ્રસન્ન રહેશે અને તેથી પરિણામે પ્રતિમાજી ભરાવવાનું કામ વિલંબમાં પડશે, બગડશે પણ ખરું. આથી શિલ્પીની ઈચ્છાઓને સમયસર પૂર્ણ કરવાનું જરૂરી છે. કોઈ વાર શિલ્પી બાલ હોય તો તેને રમકડાં વગેરેથી રમવાની ઈચ્છા
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy