________________
શ્રી જિનબિંબ ભરાવતી વખતે શ્રી જિનબિંબને લઈને શ્રી જિનબિંબને કરાવનારને જેટલા કોઈ પણ જાતના પરિતોષ સંતોષના કારણે ઉત્પન્ન થતા આનંદવિશેષ ઉત્પન્ન થાય છે, તે બધા જ પરિતોષો વાસ્તવિક રીતે શ્રી જિનબિંબના નિર્માણનાં કારણો બનતાં હોય છે.”-આ પ્રમાણે - છઠ્ઠી ગાથાનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે શ્રી જિનપ્રતિમાજીના નિર્માણકાર્યના પ્રારંભથી માંડીને તે કાર્ય કરાવનાર પુણ્યાત્માને દિવસે દિવસે પ્રીતિવિશેષ ઉત્પન્ન થાય છે. થયેલા કામના કારણે જે સંતોષ થાય છે એ સંતોષ જે ભવિષ્યમાં થનારા કાર્ય માટે ઉલ્લાસસ્વરૂપે કારણ બને છે. એક પૂિર્વી સંતોષ, બીજા સંતોષનું [ઉત્તર સંતોષનું કારણ બને છે. અને અંતે આ બધા પરિતોષો પરમતારક શ્રી જિનબિંબના નિર્માણમાં નિમિત્ત બને છે. શ્રી જિનબિંબના કારણે ઉત્પન્ન થયેલા સંતોષના પરિણામો શ્રી જિનબિંબની નિષ્પત્તિમાં નિમિત્ત બને છે. કાર્યના ઉદ્દેશથી ઉત્પન્ન થયેલો હર્ષ જ ખરેખર કાર્યનિષ્પત્તિનું કારણ બને છે. કાર્યના પ્રારંભમાં જ જો ઉલ્લાસ ન હોય તો કાર્યની નિષ્પત્તિમાં કોઈ ભલીવાર નહિ હોય. આવા વખતે મોટાભાગે કાર્ય, અધવચ્ચે જ અટકી જતું હોય છે. કદાચ લાજેશરમે એ કાર્ય અટકી ન જાય અને ચાલુ રહે તોપણ લગભગ તો વેઠ ઉતાર્યા જેવું એ બને છે. આથી સમજી શકાશે કે કાર્યના ઉદેશના અને સાધનાના કાળમાં જે ભાવોલ્લાસ છે એ જ વસ્તુતઃ કાર્યસિદ્ધિનું પ્રધાન કારણ છે. આવી જાતના પરિતોષ વિના