________________
જણાવ્યા મુજબ પ્રતિમાજી કરાવનાર અને કરનાર બંન્નેને અનુક્રમે અનુશય અને ઉપાલંભના કારણે જો ચિત્તનો નાશ થાય તો કાર્યસિદ્ધિ નહિ થાય. પરંતુ પ્રતિમાજીના નિર્માણનું કાર્ય યોગ્યને આપવાથી ચિત્તનો નાશ નહિ થાય. ચિત્તની આ અવિનષ્ટ અવસ્થા વિશિષ્ટ કાર્યને સિદ્ધ કરનારી હોવાથી બંન્ને માટે ચિત્તનો અવિનષ્ટ સંબંધ મહાન છે. આ સંબંધમાં સહેજ પણ ઊણપ વર્તાય તો સત્પુરુષોની દૃષ્ટિએ તે પ્રશંસનીય નથી. કારણ કે થોડો પણ ચિત્તવિનાશ વિવક્ષિત ફળની હાનિને કરનારો છે. આથી સમજી શકાશે કે પૂર્વે જણાવેલા ચિત્તના અવિનષ્ટ સંબંધનું મહત્ત્વ કેટલું છે. સામાન્ય રીતે લોકોત્તર ફળની પ્રાપ્તિમાં અવિનષ્ટ ચિત્તનું જ પ્રાધાન્ય છે. સહેજ પણ ચિત્તમાં સંક્લેશનો આવિર્ભાવ થાય, એટલે સાધના ખંડિત બંને છે અને તેથી સાધ્યસિદ્ધિને હાનિ પહોંચે છે જે સિદ્ધિના અર્થીને કોઈ પણ સંયોગોમાં પાલવે એવું નથી. આથી જ સાધકોની દૃષ્ટિ નિરંતર ચિત્તની સુરક્ષા ઉપર સ્થિર રહેતી હોય છે. આવી સ્થિર દૃષ્ટિને પામ્યા વિના સાધક બનવાનું શક્ય નથી. અહીં ગાથામાં સમ્બન્ધમ્ ના સ્થાને સભ્યે આવો પાઠ હોવો જોઈએ.. ૫૭-પા
***
શ્રી જિનબિંબને કરાવવામાં ભાવનું પ્રાધાન્ય જણાવાય
यावन्तः परितोषाः कारयितुस्तत्समुद्भवाः केचित् । तबिम्बकारणानीह तस्य तावन्ति तत्त्वेन ॥७-६ ॥
૨૧૧