________________
अथ सप्तमं षोडशकम् |
પૂર્વષોડશકથી શ્રી જિનાલયના નિર્માણ સંબંધી વિધિ જણાવીને હવે શ્રી જિનબિંબના નિર્માણકાર્યને જણાવાય છે. जिनभवने तद्विम्बं कारयितव्यं द्रुतं तु बुद्धिमता । साधिष्ठानं ह्येवं तद्भवनं वृद्धिमद् भवति ॥ ७ - १॥
“પરમતારક શ્રી જિનાલયમાં બુદ્ધિમાને શ્રી જિનબિંબ શીઘ્ર કરાવવું જોઈએ, જેથી શ્રી જિનબિંબથી અધિષ્ઠિત થયેલું એ પરમતારક શ્રી જિનાલય વૃદ્ધિમર્ થાય છે.’-આ પ્રમાણે પહેલી ગાથાનો સામાન્યાર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યની પૂર્ણતા પછી જેમ બને તેમ શીઘ્રપણે શ્રી જિનાલયમાં શ્રી જિનબિંબને ભરાવી લેવું જોઈએ. અન્યથા અધિષ્ઠાન-પ્રતિમા વિનાનું શ્રી જિનમંદિર થશે. અને તેથી શિલ્પ-શાસ્ત્રના જ્ઞાતાઓના જણાવ્યા મુજબ કોઈ વાર અધિષ્ઠાનશૂન્ય જિનાલયમાં દુષ્ટ દેવો પોતાનું સ્થાન જમાવતા હોય છે. માટે જેમ બને તેમ તુરત જ શ્રી જિનાલયમાં શ્રી જિનબિંબને કરાવી લેવું જોઈએ.
પરમતારક શ્રી જિનબિંબ પણ બુદ્ધિમાને જ કરાવવું જોઈએ. જેઓ બુદ્ધિમાન નથી એવા લોકોમાં સામાન્ય રીતે
કોઈ પણ કાર્ય કરવાની યોગ્યતા હોતી નથી. પરમપવિત્ર શ્રી જિનબિંબના નિર્માણકાર્ય જેવા લોકોત્તર કાર્ય માટે તો વિશિષ્ટ બુદ્ધિમત્તા હોવી જોઈએ-એ સમજી શકાય છે. કાર્યના અવાંતર ક્રમને જાણવા માટે બુદ્ધિ જેમનામાં છે તેમને અહીં બુદ્ધિમાન તરીકે ગણ્યા છે. પ્રતિમાજી માટે પાષાણની પરીક્ષા
૨૦૫