________________
આથી સમજી શકાશે કે હિંસાદિનો દોષ, જે વિહિત ન હોય તેમાં હોય છે. જે વિહિત છે તેમાં એવો કોઈ દોષ નથી. દોષના જનક હિંસાદિ નથી, પરંતુ શાસ્ત્રનિષિદ્ધનું આચરણ છે. ગુણનું કારણ અહિંસાદિ નથી, પરંતુ શાસ્ત્રવિહિતનું આચરણ છે.
“આરંભ વિનાનાં સામાયિકાદિ અને આરંભવાળાં શ્રી જિનાલયાદિ-એ બેમાં સ્પષ્ટપણે ભેદ [ફરક હોવાથી શ્રી જિનાલયના નિર્માણાદિમાં દોષ છે જ. કારણ કે શ્રી જિનાલયના નિર્માણાદિથી જે નિર્જરા [કર્મક્ષય વગેરે થાય છે તે, આરંભ વિનાનાં સામાયિકાદિને કરવાથી પણ થઈ શકે છે તો શ્રી જિનાલયાદિના નિર્માણનું વિધાન કરવાની જરૂર નથી.” આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એક અનુષ્ઠાન, બીજા વિહિત અનુષ્ઠાનને લઈને અન્યથાસિદ્ધ [નહિ કરવા યોગ્ય મનાય નહિ. એ અનુષ્ઠાન બીજા અનુષ્ઠાનનું અપવાદ નથી કે જેથી તે અનુષ્ઠાનથી બીજા અનુષ્ઠાનનો નિષેધ થાય. આ પ્રમાણે માનવામાં ન આવે અને એક અનુષ્ઠાનથી બીજા અનુષ્ઠાનનો નિષેધ કરાય તો દાનસુપાત્રદાન, તપ વગેરે અનુષ્ઠાનોનો પણ ઉપદેશ કરવાનું અનુચિત માનવું પડશે. કારણ કે સામાયિકાદિ અનુષ્ઠાનથી નિર્જરા કરી શકાય છે, એના માટે આરંભવાળાં દાનાદિ અનુષ્ઠાન કરવાની જરૂર નહિ રહે....ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અહીં તો એ અંગે માત્ર દિશાસૂચન જ કર્યું છે. છેદ-૧દા
એ રૂત્તિ પણં ઘોડશ !