________________
જણાવે છે. ભાવથી રહિત એવી દ્રવ્યહિંસાને આશ્રયીને પણ અહીં વિચારીએ તો તેનું ફળ “હિંસાની નિવૃત્તિ' છે - એ સમજી શકાશે. યાતનાના કારણે અહીં દ્રવ્યહિંસા અહિંસાફળવાળી બને છે. આવી દ્રવ્યહિંસા તો પૂ. સાધુભગવંતોને સિર્વથા હિંસાથી વિરામ પામેલાને પણ] વિહારાદિ-પ્રસંગે દુઃખે કરી પરિહરવાયોગ્ય હોય છે. આથી એવી દ્રવ્યહિંસાજિયણા-યુક્ત]નો નિષેધ કર્યો નથી. અન્યથા કોઈ પણ અનુષ્ઠાન કરી શકાશે નહિ. યતનાના કારણે દ્રવ્યહિંસા-સ્થળે હિંસાની નિવૃત્તિ સ્વરૂપ જે ફળ પ્રાપ્ત થાય છે તેનું કારણ એ છે કે-યતના, અધિક આરંભની નિવૃત્તિ કરાવે છે. શ્રી જિનેશ્વરદેવનું ભવન બનાવતી વખતે સંપૂર્ણ આદરપૂર્વક પ્રવૃત્તિ કરનાર ભવ્યાત્મા નિષ્ફળ આરંભનો ત્યાગ કરે છે; અને સફળ જ પ્રવૃત્તિ કરે છે. તેથી ચોક્કસ જ બિનજરૂરી આરંભની નિવૃત્તિ થાય છે, જે માત્ર યતનાથી જ શક્ય બને છે. આ રીતે યતના અને તેના અભાવ સ્થળે આરંભની નિવૃત્તિમાં ફરક પડે છે. એકમાં બિન-જરૂરી આરંભની નિવૃત્તિ છે અને બીજે યતનાના અભાવ સ્થળે બિનજરૂરી આરંભની નિવૃત્તિ નથી.
જોકે યતના-સ્થળે અધિક આરંભ ન હોવા છતાં આરંભ તો છે જ, તેથી હિંસાનો દોષ છે જ; પરંતુ શ્રી જિનાલયના નિર્માણનું વિધાન હોવાથી તેમાં કોઈ દોષ નથી. કહેવાનો આશય એ છે કે જેમ વીતરાગપરમાત્માએ સામાયિકાદિ કરવાનું વિધાન કર્યું છે તેમ શ્રી જિનાલયના નિર્માણનું પણ વિધાન કર્યું છે. સામાયિકાદિની જેમ જ વિહિત હોવાથી. શ્રી જિનાલયના નિર્માણમાં કોઈ દોષ નથી.